SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વસ્થતા, ચિત્તની સમતા, જગતના જીવો પ્રત્યે ઉદારભાવ કેળવીએ તો આપણું જીવન ધન્ય બની જાય. આ ક્ષત્રિયકુમાર ત્યાગી બન્યો પછી શું શું વેડ્યું. અનાયદેશમાં કોઈ ગામમાંથી તેમને હાંકી કાઢ્યા ત્યારે ભગવાન સહજભાવે વૃક્ષ નીચે દિવસો પસાર કરતા. ભગવાન ભગવાન જ હતા. તેમની સમતાનો અંશ મળે તો પણ આપણું જીવન ધન્ય બની જાય. રણસંગ્રામમાં બખ્તરથી સુસજ્જિત થયેલા શૂરવીર સુભટને શત્રુઓનાં શસ્ત્રો જેમ ભેદી શક્તા નથી એ જ ધૈર્ય અને સત્ત્વના લોહ – કવચથી સંવૃત્તમનવાળા મહાવીરને ઉપસર્ગો સ્પર્શી શકતા નથી. આચારાંગ ૯૨ શ્લોક ૭ થી ૧૦. ભગવાનને બહારમાં કોઈ શત્રુઓ ન હતા. તેમણે જન્મ ઘર્યો ત્યારથી બહારના શત્રુઓને ક્ષમા આપી હતી, અને સંસારત્યાગ કરીને અંતરંગશત્રુઓનો નાશ કરવા ઉપસર્ગો સહી લીધા. આખરે જેમ બહારના શત્રુઓ મિત્રપણે ઝૂકી જતા. તેમ અંતરંગ શત્રુઓ પણ તેમનો ત્યાગ કરી ગયા. અને ભગવાન પૂર્ણપણે નિર્ભય થઈને વિહરવા લાગ્યા. છતાં કંઈક અંશો પૂર્વસંચિત કર્મોના શેષ રહેલા તે હવે ચૂકવવાના હોય તેમ સંગમ મેદાને પડ્યો. WAARVAN એવા વીર હતા એ મહાવીર, ઘન વૈભવ પણ છોડ્યા છે. ક્યાંયે ત્યાગ અને ક્યાં તપ એ, ઘરઘર વનવન ઘૂમ્યા છે. જન્મોજન્મ સુધી ના ભૂલાયે, એ ત્યાગી સંતપુરુષોને. મારા માતાજીના જનકજનના ૯૪ થી હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy