SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જામ - e - આપે છે. તમે કોઈને વસ્તુ આપો અને ન સચવાય તો તમને તમારી વસ્તુનું મમત્વ શું કરવા પ્રેરે ? તમે પણ મુનિ માટે વિચાર કરો કે નહિ? ખરા છે આ મુનિ, પોતાની જરૂરી વસ્તુની સંભાળ રાખતા નથી. શૂલપાણિ યક્ષ દ્વારા પ્રભુના શરીર પર કીડી, મચ્છર સર્પના વગેરે પ્રતિકૂળ સંયોગો ઊભા થયા. તમારા જીવન-વ્યવહારમાં કોઈના પ્રત્યે તમને અભાવ ઊભો થાય ત્યારે તેને ડંખ મારવા જેવા શબ્દો બોલી નાંખો કે નહિ ? તેને માટે દુર્ભાવ કરો કે નહિ ? નિંદારસથી વિષ વમો કે નહિ? અરે વાસ્તવમાં આપણા ચિત્તમાં હજી દુવૃત્તિઓરૂપે કીડીઓ ઊભરાતી હોય છે. મચ્છરના ડંખ જેવા ઈષ જેવા નાવ થતા હોય છે. વિષયોનું વિષ ઊભરાતું હોય છે. આ દૃષ્ટાંતથી પ્રભુએ આપણા ચિત્તના સંસ્કારોનું દૃશ્ય ખડું કર્યું છે. ભગવાન તેમના ચિત્તમાંથી આ સૌને હાંકી ચૂક્યા હતા. તે તેમની અચલ અવસ્થા દ્વારા આપણને બોધ આપે છે. આર્યદેશ હો કે અનાયદેશ હો, ભગવાનની કરુણામાં સર્વ જીવો સમાન હતા. ક્યાંયે આવકાર ન મળ્યો, ભગવાને વિચાર્યું કે અહીં કર્મનાશ થવાનો યોગ્ય અવસર મળી ચૂક્યો છે. ઓહો ! કેવી સમતા અને કરુણા. અપશબ્દો સાથે કોઈ ભેદ ન હતો. કૂતરા આવી કરડતા ત્યારે તેમણે કૂતરા પ્રત્યે જોયું જ નથી. દેહભાવ ઓગળતો ઓગળતો સમાપ્ત થતો હતો. અરે ! એ ભીલનાં બાળકો તો આ નિર્વસ્ત્ર, ત્યાગીની કદર્થના કરતા, ભગવાન તો એક જ દશામાં મસ્ત હતા. એટલે તેમને આવા પ્રસંગોમાં કે કોઈ માન – સત્કારના પ્રસંગોનો ભેદ ન હતો. જરાજરામાં નંદવાનું માનવમન ક્યાં અને ભગવાનના મનની ઉત્તમ દશા ક્યાં? કલ્પનાતીત લાગે છે, પ્રભુ તમારી ચર્યા? બાપુ! આપણને કંઈ આવા પ્રસંગો મળવાના નથી, પણ નાના પ્રસંગોમાં પણ આપણે હિતશિક્ષા જ ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy