SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ જ અને મારા રાજકોટ રાજકારણ કરનારા મૌનથી. તમે એમ ન માનતા કે એ કાળે સૃષ્ટિનો માનવ ભગવાનના આવા પ્રયોગોને સ્વીકારી લેતો. આજે પણ ધરતી પર ભગવાન કરતાં વધુ ડાહ્યા માનવો હોય છે, તેમ તે કાળે હતા. દરેકને થાય કે ભગવાન હું માનું છું તેમ બોલે. ભગવાન, ભગવાન હોય છે, તે કોઈની માન્યતાથી ભગવાન બન્યા નથી પણ વનવગડા સેવીને તાપ કે ઉતાપને સમતાથી સમાવીને. અંતરમાં નિરંતર સંશોધન કરીને. સત્યનો પ્રકાશ કરીને તેઓ ભગવાન બન્યા હતા. ભગવાનને ન ઓળખ્યા એકવાર ભગવાન નૌકામાં નદી પાર કરી રહ્યા હતા. ભગવાન નૌકામાં પણ ધ્યાનમાં લીન હતા. નદીના મધ્યભાગે નૌકા ડોલવા લાગી, તોફાને નૌકાને દિશાભ્રષ્ટ કરી. સૌ પ્રવાસીઓ ગભરાયા. તેમણે ભગવાનને જોયા, કોઈક વિચાર્યું કે મુંડિત માનવથી નૌકા ડોલવા લાગી છે. જેમ નૌકા ડોલવા લાગી તેમ પ્રવાસીઓ મોતને જોવા લાગ્યા, તેમનાં હૃદય અકાળે કાળને જોઈને કંપી ઊઠ્યાં. અને છતાં પેલો માનવ તો એ જ શાંત મુદ્રાએ બેઠો છે; અને લોકોને પણ હિંમત આવી. પછી તો પ્રકૃતિએ સાથ દીધો. તોફાન શમી ગયું. સૌ સકુશળ નદી પાર થઈ ગયા. ભગવાન પ્રત્યે અભાવ કરનારા લોકો એ કાળે હતા. છતાં ભગવાને તો સૌ જીવોને સમાન ભાવે જોયા હતા. ભગવાન એકવાર તળાવની નજીકના ઉદ્યાનમાં ધ્યાનમુદ્રાએ રહ્યા હતા. ત્યાં કેટલાક સહેલાણીઓ આવ્યા. ભગવાનની સાથે વાત કરવા લાગ્યા. પણ ભગવાન મૌન રહેવાથી ત્યાંથી કટાક્ષ કરીને દૂર થયા. વળી ત્યાં એક યુગલ આવ્યું. તેમણે પણ ભગવાનને બોલાવવા પ્રયત્ન કર્યો. ભગવાન તો મૌન જ રહ્યા. ત્યારે તે યુગલ પણ અપશબ્દ બોલી વિદાય થયું. વળી ત્યાં કેટલાંક બાળકો આવ્યાં, તેઓ વૃક્ષની જેમ સ્થિર રહેલા આ માનવને જોઈને દૂરથી જ ભાગી છૂટ્યાં. હિતશિક્ષા ૯૧ હતા સરકારકતા માતા તારા પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy