SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અંતરમુખ થા’ અને હળવેથી ઊઠીને જાણે દીક્ષા ગ્રહણ કરતો હોય તેમ તેણે પોતાની વિશાળ ફણા બીલમાં છુપાવી દીધી. અને ભગવાનને કહી રહ્યો કે ભગવાન આપની કરુણા અપાર છે, મને નરકે જતો બચાવ્યો. કિ હિતશિક્ષા : ધરતીના માનવીને યોગાનુયોગ સર્પ કરડે છે, અને તે માનવ મરે પણ ખરો અને જીવે પણ ખરો. પણ જો નિદ્રામાં સર્પ દેખાય તો ગોદડામાં છળી ઊઠે, ભગવાન એક સમયે આપણા જેવા માનવ હતા. આગળના ભવોમાં ચઢ્યાઊતર્યા. પરંતુ એકવાર માર્ગની શ્રદ્ધા થઈ પછી તેની સીમાઓને પહોંચવાના અવસર મળે બરાબર સાહસ કરી લીધું. માહાવિષધરની સામે સહજ મૈત્રીભાવે જવાનો એક અંશે પણ ધરતીનો માનવ વિચારી ન શકે. ભગવાને જાણે એ અવસરને વધાવી લીધો. કારણ કે ભક્તિ કરનાર પ્રત્યે ભગવાનને પ્રશંસા નથી અને દ્વેષથી ડંખ મારનાર પ્રત્યે તેમને અનુરાગ નથી. સર્વે માન્યા એકસમાન હો. કોઈ શત્રુ નથી કોઈ મિત્ર નથી. જગતના જીવો મિત્રતા પણ નિભાવી શકતા નથી. વિપરીત સંયોગ આવે મૈત્રી પણ સ્વાર્થમાં પરિણમી જાય છે. થોડા કાળના આયુષ્યમાં માનવ જીવન જીવવાનું જાણતો નથી. ભગવાને મૈત્રીની ચરમસીમા કેવી રીતે સાધી. ભલે તારામાં એવું સાહસ ન હોય પણ તારી નાનીસરખી સૃષ્ટિમાં તો નિર્દોષ પ્રેમથી જીવી જા. તેમાં જ તારું સુખ સમાયું છે. તું માનવ છે, જગતના મૂક જીવોને સુખ આપવાનું તારું ઉત્તરદાયિત્વ છે તે ભૂલી ના જતો. સૃષ્ટિ પોતાના નિયમથી ચાલે છે. માનવમનની સૃષ્ટિ તેના પરિમિત વિચારથી ચાલે છે. ભગવાન મહાવીરની સૃષ્ટિની ક્ષિતિજો દરેક પ્રસંગે નવો જ આકાર લેતી હતી. ભૂતકાળનાં પરિણામો વર્તમાન થઈ હાજર થતાં ભગવાન તેને ન્યાય આપતા, કેવી રીતે જાણો છો ? ક્યાંક અહિંસાથી, ક્યાંક પ્રેમથી ક્યાંક મૈત્રીથી ક્યાંક નિર્ભયતાથી અને ક્યાંક ૯૦ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy