________________
એને ‘પુદ્ગલ’ જાણવું. હે ચેતન ! પુદ્ગલભાવમાં હર્ષ-શોક ન કરવો.
જે છાયા દેખાય છે, પ્રકાશ દેખાય છે, આકૃતિ દેખાય છે, તે બધા જ પુદ્ગલના પર્યાય છે. પુદ્ગલના ધર્મ છે સડવું, પડવું અને નાશ થવો - સડન-પડન-વિધ્વંસંન પુદ્ગલની નિયતિ છે. જેમ બે પિંડ એકઠા થાય છે અને કાળક્રમે વિખરાઈ જાય છે, જેને જીવાત્મા પોતાની ચર્મદૃષ્ટિથી જુએ છે, એ પુદ્ગલ છે.
જે વધે છે, ઘટે છે, જેનું પૂણગલન થાય છે, એ જેનો સ્વભાવ છે તે પુદ્ગલ છે. એના અનંત પર્યાયો હોય છે, અને એ પર્યાયો કેવળજ્ઞાની જ જાણી શકે છે.
પુદ્ગલપરિવર્તનશીલ હોય છે. શુભ અશુભ અને અશુભ શુભ થાય છે. પુદ્ગલભાવ સ્થિર ન રહે, માટે એના ઉપર રાગદ્વેષ નથી કરવાના. એના કારણે હર્ષ-શોક નથી ક૨વાના. પુદ્ગલ-રાગનું આવરણ દૂર થશે ત્યારે જ આત્મવિચાર પ્રગટ થશે. સમાધિશતક'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણખોજ
ઘટમેં ભી પ્રગટે તદા ચિદાનંતકી મોજ !
જો ભીતરમાં ચિદાનંત પામવો હોય તો આત્મચિંતન કરવું જ પડશે. આત્માના સહજ જ્ઞાનાદિ ગુણોનું ચિંતન કરવું જ પડશે, અને પરમાર્થદૃષ્ટિથી વિચારીએ તો માત્ર આત્મજ્ઞાનઆત્મબોધ જ મોક્ષમાર્ગ છે, શિવપંથ છે. સમાધિશતક'ના પ્રારંભે જ કહ્યું છે : કેવળ આતમબોધ હૈ પરમાર્થ શિવપંથ, સોઇ ભાવનિગ્રંથ.
તા મેં જિનકી. મગનતા
આત્મબોધમાં - આત્મજ્ઞાનમાં મગ્નતા જ ભાવસાધુતા છે. જો આત્મજ્ઞાનમાં મગનતા ન હોય તો ભાવસાધુતા ન આવે. ભલેને વ્રતોનું પાલન કરતા રહો યા ઉગ્ર તપશ્ચર્યા કરતા રહો. જ્ઞાનમગનતા વિના ભાવસાધુતા હોઈ શકતી નથી.
આતમજ્ઞાને મગન જો સબ પુદ્ગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લેખ ને મિલે ન તિહાં મન મેલ !
આત્મજ્ઞાનમાં નિમગ્ન આત્મા તમામ પુદ્ગલ-નિર્મિત ખેલોને ઇન્દ્રજાલ - જાદુ સમજે છે. એની સાથે એનું મન લાગતું જ નથી. એક વાર આત્મજ્ઞાનમાં મગનતાનો અપૂર્વ અનુભવ થતાં પુદ્ગલરચનાઓમાં મન લાગતું જ નથી. આત્મજ્ઞાનની મગનતાનું સુખ શબ્દાતીત છે. શબ્દો દ્વારા વર્ણવી શકાતું નથી.
“પુદ્દગલગીતા’ પુદ્દગલનો પરિહાર એટલે પરમાર્થની પ્રાપ્તિનું વાચન-મનન અને ચિંતન કરી સહુ જીવાત્માઓ પુદ્ગલભાવોમાં અનાસક્ત બનો અને આત્મજ્ઞાનમાં અને ૫રમાર્થપ્રાપ્તિમાં નિમગ્ન બનો, એવી મંગલકામના સાથે વિરમું છું.
૬૫, શ્યામલ રોહાઉસ ૩-એ,
ભદ્રગુપ્તસૂરિ
સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫
તા. ૨૪-૧૧-૧૯૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org