SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવેદ્ય ભદ્રગુપ્તસૂરિ ‘ઓ મારા મન ! પરભાવનાં આવરણો ચીરીને જરા મુક્ત થા, જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શી શકે !' જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આત્મવિચાર હવે કરવો છે ? અત્યાર સુધી તો જીવાત્માએ પુગલનો વિચાર જ વધારે પ્રમાણમાં કર્યો છે. અનંત જન્મોથી પુદ્દગલભાવોની જ રમણતા જીવે કરી છે. હવે આત્મવિચાર કરવો છે ? તો એક કામ અવશ્ય કરવું પડશે; પુદ્ગલભાવ કે જે પરભાવ છે, એ પુદ્દગલભાવોનાં આવરણને ચીરી નાખવા પડશે. પુદ્દગલભાવોનાં આવરણો નષ્ટ કરવા માટે પુદ્ગલભાવોની અનર્થકારિતા તથા ભયંકરતા અને પરમાર્થનું સ્વરૂપ જાણવું પડશે, સમજવું પડશે. ‘પુદ્ગલગીતા’માં યોગી ચિદાનંદજીએ પુદ્દગલભાવોની અનર્થકારિતા અને ભયંકરતા સમજાવી છે. ખરેખર, કુરુક્ષેત્ર ઉપર શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો બોધ જેમ આપ્યો, તેમ ભીતરના કુરુક્ષેત્ર ઉપર, પુદ્ગલભાવરૂપ કૌરવોનો સંહાર કરવાનો ઉપદેશ ચિદાનંદજીએ વિષાદગ્રસ્ત બનેલા સાધકને આપ્યો છે. એટલે આ કાવ્યનું નામ એમણે પુગલગીતા’ આપ્યું છે. સુશ્રાવિકા સુનંદાબહેન અધ્યાત્મમાર્ગનાં પ્રવાસી છે. તેઓ શ્રદ્ઘાવંત તો છે જ, સાથેસાથે સમ્યજ્ઞાનના ઉપાસક છે ! એમાંય આ કાવ્ય ઉપર વિવેચન લખવા, મેં જ એમને પ્રેરિત કર્યાં હતાં; અને તેમણે એ વિવેચન લખ્યું ! સરળ, સુંદર અને સ્વાદિષ્ટ બન્યું છે વિવેચન. એનું નામકરણ તેમણે પુદ્ગલનો પરિહાર અને પરમાર્થની પ્રાપ્તિ' આપ્યું છે તે વિવેચનના માધ્યમથી સાર્થક છે. પુદ્ગલની ઓળખાણ કરાવતાં શ્રી ચિદાનંદજી સરળ શબ્દોમાં કહે છે : પાણીમાંહે ગલે જે વસ્તુ, લે અનિ સંયોગ, પુદ્ગલ-પિંડ જાણે તે ચેતન ત્યાગ હરખ અરુ સોગ. છાયા આકૃતિ તેજદ્યુતિ સહુ પુદ્ગલની. સડન-પડન-વિધ્વંસ ધર્મ એ જાય, કહેવાય. વખાણે, પર જાય. પુદ્ગલકો કહેવાય. મળ્યા પિંડ જેહને બંધે બે કાલે વિખરી ચરમનયણ કરી દેખીયે તે સહુ પુદ્દગલ પુરણ-ગલન ધર્મથી પુદ્ગલનામ જિગંદ કેવળ વિણ પરખાય ન અનંતા ચાર જ્ઞાન નવિ જાણે. શુભથી અશુભ, અશુભથી શુભ, મૂળ સ્વભાવે થાય, ધર્મપાલટણ પુગલકો ઈમ, સદ્ગુરુ દિયો બતાય ! ← જે વસ્તુ પાણીમાં ગળી જાય છે, → જે વસ્તુ અગ્નિમાં બળી જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy