________________
જઈશ માટે સદ્ગુરુના વચનનો આધાર અને આશય પૂર્ણતાની પ્રાપ્તિ સુધી જરૂરના છે.
સદ્ગુરુનું વચનબળ નિસ્પૃહતાને કારણે પ્રેરક બને છે, સંયમ યુક્ત તેમના વચનો અમૃતનું કાર્ય કરે છે. તારી શ્રદ્ધા અને તેમનો અનુગ્રહ બંનેનું મિલન તારા આત્મોત્થાનનું કારણ બનશે. સદ્ગુરુના વચનનો મહિમા જે જાણે છે તે ભવનો સંક્ષેપ કરે છે. તેમનો અનુગ્રહ ભવને આડે આવીને જીવને મુક્ત કરે છે. તેઓ જીવરક્ષા પ્રતિપાદક અને પાલક હોવાથી તને પણ એ માર્ગનો મર્મ સમજાવશે.
સાધકને ત્રણ તત્ત્વ અવલંબનરૂપ છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને દયારૂપ ધર્મ. ધર્મના મૂળ બે ભેદ છે : નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ. નિશ્ચયધર્મ તો આત્મસ્વરૂપની સ્થિરતા અને રમણતા છે. વ્યવહારધર્મમાં આઠ પ્રકારની દયા બતાવી છે. તે દયાનો મર્મ છે. જગતના જીવમાત્ર પ્રત્યે મૈત્રી, એ મૈત્રીભાવ વડે ચિત્તશુદ્ધિ થતાં જિનેશ્વરની ભક્તિ મુક્તિનું કારણ બને છે. દયા એ કોઈ બાહ્ય ક્રિયા નથી, પણ તેની વિવિધ પ્રક્રિયા દ્વારા જીવના પરિણામ કોમળ અને કરુણાયુક્ત બને છે. તેવા જીવો ક્રમે કરીને સ્વરૂપના મર્મને જાણી આત્મસાધક બને
છે.
દયા એ સામાન્ય ધર્મ નથી. પરંતુ જીવનના દરેક આચરણમાં તેની મુખ્યતા જીવને જાગૃત રાખે છે. સાત્ત્વિક ગુણનો વિકાસ કરે છે. જે ક્રમે કરીને તાત્ત્વિક દૃષ્ટિ સુધી પહોંચે છે. જે સૃષ્ટિનો આપણા પર અત્યંત ઉપકાર છે તેવી મૂક સૃષ્ટિ પ્રત્યે આપણો દયામય ઉદાર અને ઉપકારક ભાવ આપણા જ ઉપકાર માટે બને છે. જગતના જીવો સાથે સાધેલી મૈત્રી તમારી સંસારયાત્રાને સુખરૂપ બનાવે છે. સૃષ્ટિના પદાર્થોના ઉપકારનો બદલો તેમની રક્ષા સિવાય કયા માધ્યમથી વાળી શકશો ? અને ૠણ સહિત જે આ જગતની યાત્રાએ નીકળે છે તેને અનેક વિઘ્નો નડે છે. વળી માનવચેતનામાં વિચારશક્તિનું મૂલ્યવાન સાધન છે. તેનું કાર્ય ઘણું ઉદાત્ત અને ઉમદા છે. ભાવના વડે પૂરી સૃષ્ટિને એ ઉદાતશક્તિનું પ્રદાન થઈ શકે છે. તે પ્રદાનનું એક રહસ્ય દયા છે. જેને ગ્રંથકારોએ આઠ ભેદ દ્વારા
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org