________________
સાધન સમાય છે. જેમ પવિત્ર સતપુરુષોની નિશ્રામાં સર્પને મોર, વાઘબકરી વૈર કે ભયને ત્યજી દે છે. તેમ સમતાના સામ્રાજ્યમાં સાધકમાં પોતામાં રહેલા વૈર જેવા દુર્ભાવો દૂર થઈ જાય છે. સમતાના સાથ વગરના જપ-તપ નિર્જરાનું કારણ બનતા નથી. દાનાદિ ધર્મો પણ સમતા વગર આત્મહિતાર્થે થતા નથી.
કહે છે દાનાદિ સર્વ ક્રિયાઓનું ફળ તો બીજા જન્મ પર અવલંબે છે. મોક્ષનું સુખ હજી તે અનુભવ્યું નથી, પરંતુ આ સમતાનું સુખ તો તëણે ફળદાયી બને છે. જીવ જે સમયે પોતાના સ્વરૂપને અભેદપણે અનુભવે છે ત્યારે સમતા રૂપ આત્મભાવ નિર્ભેળ સુખ પ્રગટ કરે છે. સમતાનું દ્વાર ખૂલે અધોગતિનાં દ્વાર બંધ થઈ જાય
એક સમતાગુણ પ્રગટ થતાં પ્રજ્ઞાવંત સાધકમાં અન્ય ગુણો પ્રગટ થાય છે, સરળતા, ઉદારતા, સહિષ્ણુતા, સદાચાર, શીલ, સંતોષ, નમ્રતાનો ખજાનો ખૂલી જાય છે. મોહચ્છાદિત અંધકારને દૂર કરે છે. સમતાના ગુણની પાત્રતા માટે જીવે ચિત્તને વિષયોથી પાછું વાળવું પડે. કષાયથી મુક્ત કરવું પડે. ચિત્તનો સમગ્ર પ્રવાહ એક સમતારસમાં વાળવો પડે. ત્યારે સમતાનો આરાધક અભેદસ્વરૂપને પામે છે.
ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ગુરુવચન વિચારે, અષ્ટદયાના મર્મ લહીને, આતમકાજ સુધારે.
દીર્ઘકાલથી જીવે દેહાભિમાનવશ વિષમતા સેવી છે. તેથી તેના ચિત્ત પ્રદેશ ઉપર અનેક દોષોનું પડ છવાઈ ગયું છે. અને એથી તેનું હૃદય કઠોર બન્યું છે. તેથી સર્વજીવો પ્રત્યે સમભાવને જાળવી શકતો નથી. અનાદિના દોષ જોવા અને ગુણને ધારણ કરવા પ્રાણીમાત્ર પ્રત્યે દયાના ભાવને ધારણ કરવા. પરંતુ જીવને દોષની હાનિ થવા ગુરુ અનુગ્રહની જરૂર પડે છે. ગુરુજનોના વચન જીવને રામબાણ ઔષધ જેવા હોય છે. સદૂગર વડે જીવની પાત્રતા કેળવાય છે. જીવ ખૂણામાં બેઠો બેઠો વિચારે કે આ ક્રોધાદિ કષાયો ધારીશ ત્યારે ભગાડીશ. પણ તેમ બનતું નથી, તું ઊંઘતો રહીશ અને લૂંટાઈ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org