________________
તેમને ક્યારેય પરની આશા માટે તડપવું પડતું નથી. જંગલમાં આભ તેનો આધાર છે. પૃથ્વી તેમનાં શય્યા છે. કુદરતની હવા-પાણી તેમનો આહાર છે. અહિંસા જેવા પોતાના ગુણો સ્વયંરક્ષક છે. પછી તેમને પરની આશા ક્યાં કરવી પડે ?
ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ઘટ સમતા આણે; વાદ વિવાદ હીયે વિ ધારે, પરમારથપથ જાણે. ૯૨
ધર્મ એ શુદ્ધ ભાવ છે. ભૂમિકા પ્રમાણે તેના વિવિધ સાધનો કે અનુષ્ઠાનો દર્શાવ્યા છે. એ સર્વ અનુષ્ઠાનોની ફળશ્રુતિ સમતા છે. ધર્મ એ વાદવિવાદ કરી કોઈ પંડિત કે શ્રોતાને મહાત કરવાનું સાધન નથી. પરંતુ સમજાવવા માટે ચર્ચાવિનિમય કરવા છતાં તેમાં જીતવાનો ગર્વ નથી તે શાસ્ત્રાર્થ પરમાર્થ માટે છે.
જૈનદર્શનકારો કહે છે કે સમતા એ આત્મા છે. રાગાદિભાવ રહિત જેમાં સમત્વ છે તે સમતા છે. સર્વ જીવો પ્રત્યે સમષ્ટિ તે સમતા છે. સમતાના અભ્યાસ અને આચાર માટે ચાર ભાવનાઓથી મનને, ચિત્તને કે પૂરા જીવનને ભાવિત કરવાનું છે.
મૈત્રીભાવ : સર્વ જીવ પ્રત્યે નિર્વેર બુદ્ધિ, પોતાના આત્મા જેવો અન્યના આત્મા પ્રત્યે નિર્મળ પ્રેમ. જીવો પ્રત્યે સમાન મૈત્રીભાવ.
પ્રમોદભાવ : ગુણીજનો પ્રત્યે પ્રશંસા-આદ૨-ગુણગ્રહણતાનો ભાવ. કરુણાભાવ : દુઃખી દરિદ્ર જીવો પ્રત્યે કરુણા, અનુકંપા, વાત્સલ્ય, તેમને સહાયક થવું.
માધ્યસ્થભાવ : પાપવૃત્તિયુક્ત જીવો પ્રત્યે સમતુલન, તેના પ્રત્યે પ્રીતિ ન થાય તેમ દ્વેષ કે તિરસ્કાર પણ ન થાય.
આવી ભાવનાઓ સમતાનો વિસ્તાર છે. જેના ભાવ ભાવનાઓથી ભાવિત થાય તે જીવમાં સમતાના ગુણો સ્વાભાવિકપણે પ્રગટ થાય. અનુકૂળ પરિસ્થિતિ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હો સાધકને સર્વે સમાન છે. કોઈ સંયોગામાં જેની વૃત્તિ આકળવિકળ થતી નથી તે સમ્યગ્દષ્ટિ આત્માના સમતાનો આસ્વાદ માણે છે. સમતાના સુખથી તેઓ પૂર્ણ ચિદાનંદમય હોય છે. યોગીજનોએ સમતાને પોતાની
૧૩૮
Jain Education International
આ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org