________________
દેહ અને આત્મા, જડ અને ચૈતન્યની આ જોડીનું જેને ભેદજ્ઞાન થાય છે. તે સર્વ પદાર્થોથી પોતાને ભિન્ન અનુભવે છે. પોતાના સ્વરૂપ પ્રત્યે જેનું લક્ષ્ય જાય છે તે જીવને ધન્ય છે. અનંતકાળનું જેણે વળગેલું આ અનાત્મપણું છૂટી ગયું છે તે પ્રાણી-જીવ તે પદાર્થો પત્યે ઉદાસીનપણે વર્તે છે. તે પદાર્થોના સંયોગ વિયોગમાં મૂંઝાતો નથી તે પદાર્થોમાં તેને ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ થતી નથી. તેને પુદ્ગલના વર્ણાદિમાં આસક્તિ નથી. વિષયોના યોગમાં ભોગમાં તેને હર્ષ નથી તેથી તેના વિયોગમાં શોક નથી. જગતના ભૌતિક પદાર્થો પ્રત્યે તેમની કોઈ ચાહના નથી. પોતાના જ ગુણ-વૈભવમાં તે પ્રસન્ન છે, ઉદાસીનતાની ફળશ્રુતિ તે તેમની પ્રસન્નતા છે.
શુદ્ઘનયની દૃષ્ટિએ જેને ભેદજ્ઞાનરૂપી વિવેક જન્મે છે તે તેને જડ અને ચૈતન્યની સ્વાભાવિક ભિન્નતાનું ભાન છે. પ્રતીતિ છે કે હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું, મને પૌદ્ગલિક પદાર્થોનો બાહ્ય સંયોગ છે પણ તે મને સુખ આપી શકે નિહ. તેથી જડ પદાર્થો પ્રત્યે તેઓ ઉદાસીન છે. સંયોગમાં તદાકાર નથી. આવો શુદ્ધ વિવેક-શ્રદ્ધા હૃદયગત થવાથી તેમણે કાયાની માયા છૂટી ગઈ છે. અને સ્વરૂપમાં જ લીન છે. પરપદાર્થોની કામના તેમણે ત્યજી દીધી છે. પોતાના જ આત્મભાવ વડે તે સંતુષ્ટ છે.
―
અણુ જેવો સૂક્ષ્મ, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપે તેવો સામર્થ્યવાન આત્મા તેના સ્વરૂપમાં પરિવર્તનની સંભાવના નથી. જેમાં વધઘટ નથી. પુદ્ગલ સંયોગે સંકોચ વિસ્તારની અનન્ય શક્તિ ધરાવે છે. તેમાં કંઈ નવુંજૂનું નથી. કીડીની અને તમારી વય સરખી છે. તમે બંને અનાદિથી છો. તમે પણ નવા કે જૂના નથી. જે જન્મથી નવો મનાય છે, કે મરણથી જૂનો મનાય છે. તે સંયોગની અવસ્થા છે. મૂળ તત્ત્વ તો ત્રણે કાળ અસ્તિત્વ ધરાવે છે. જે વચ્ચે વચ્ચે છૂટી જાય છે તે શરીર નિત્ય કેવી રીતે હોઈ શકે ? શરીર નિત્ય નથી તો તેને મળેલા સંબંધો નિત્ય કેવી રીતે હોઈ શકે ? સંસારમાં દેહાદિ નિત્ય નથી તો સંસારમાં સુખ જેવાં તત્ત્વો નિત્ય ક્યાંથી હોય ! આવો શુદ્ધ વિવેક તેમના હૃદયમાં ધારણ થયો હોવાથી
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૩૭
www.jainelibrary.org