SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મના કાર્યકારણભાવને જાણીએ તો તેના બંધને તોડી શકાય. કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃત્તિને તોડવા પાંચે જ્ઞાનની વિચારણા લીધી છે. પ્રકૃત્તિ સાથે આત્માનું જોડાણ થવાથી કર્મપુદ્ગલપ્રદેશો આત્માને ઘેરી લે છે. રસ પ્રમાણે રસબંધ પડે છે. પછી કાળ નિયત થાય છે. માટે મૂળ પ્રકૃત્તિને જ દિશાંતર કરવી, જેથી કર્મને દાખલ થવાનાં આશ્રયદ્વાર ન મળે. દરેક જ્ઞાનીએ પણ પૂર્વે સત્-અસત્ અવસ્થાઓ ભોગવી હતી. છેવટે કર્મનો પરિપાક શું હતો ? કર્મનો છેદ કરતાં કરતાં કર્મનો પૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાનને વર્યા. જ્ઞાનથી જ કર્મ દૂર થાય. કેવળ કર્મગ્રંથ શીખે ગ્રંથિ ન ભેદાય. પરથી જુદો પડે તો ભેદજ્ઞાન થાય. આત્મપ્રેમ જાણે તેને પળે પળે તેનું જ રટણ રહે. જ્ઞાનભાવે પ્રકૃત્તિનું પૃથ્થકરણ કરે તો કર્મ પાતળાં પડે. પરમ શુદ્ધિ ક્ષાયિકભાવે થાય. અજ્ઞાનને વિચારવાથી અજ્ઞાન ન ટળે. જો લક્ષ ચોક્કસ ન થાય તો ઉદ્દેશ ન ફળે. જ્ઞાનીઓએ અનેક માર્ગ અને રીત બતાવ્યા તેમાંથી વિવેકપૂર્વક ધ્યેય નક્કી કરવું. અજ્ઞાનથી છૂટા કેમ થવાય ? જ્ઞાનીઓએ જ્ઞાન આરાધન માટે શાસ્ત્રો રચી આપ્યાં. તેના અભ્યાસથી રુચિ થાય તે પછી જ્ઞાનાનુભવ માટે વધુ પુરુષાર્થ કરવો પડે. આપણા હાથમાં શાસ્ત્રો શ્રુતરૂપે આવે છે. તેમાં ઊંડા ઉતરીએ તો આવરણ ઘટતું જાય. જીવ ગમે તે વિચાર વિકલ્પ તો કરતો જ હોય છે તો જ્ઞાનનો વિચાર કાં નથી કરતો ? ઈચ્છાનિરોધ માત્ર તપ છે. કોઈપણ વિચાર કે વૃત્તિ શ્રુતજ્ઞાનને, આત્માના સ્વગુણને પ્રકાશ કરનાર છે કે નહિ ? તેની સતત જાગૃત્તિ રાખવી. અને અજ્ઞાન તરફ જતી વૃત્તિને રોકવી. પ્રકૃત્તિ ગુણરૂપ થઈ શકે. તેનો બંધ તે વિરૂપ છે. મિથ્યાત્વના ઉદયમાં મિથ્યાભાવનો ઉપશમ કરી શકાય. ક્ષય ન થાય. ઉપશમમાં આવે શક્તિ વધે. જેમ જેમ જ્ઞાન આત્મગત થાય તેમ તેમ સ્પષ્ટતા થતી જાય. સંયમધર્મ પામે તે સુખ પામે. પૂર્વસંચિત જ્ઞાનનું આવરણ હોય ત્યારે શ્રુત આરાધનને બદલે શબ્દ આરાધન થાય. પંચવિધ સ્વાધ્યાય થાય તો આવરણ ઘટે. શાસ્ત્રાભ્યાસમાં કેવળ આનંદ માને આવરણ ન ઘટે. શ્રુતનો શુદ્ધ અભ્યાસી ન હોય તો તે અજ્ઞાન ફેલાવે. ૯૮ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy