SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આવરણ જેવું ગાઢ તેવો પુરુષાર્થ પણ બળવાન જોઈએ. તીર્થકર આદિ જ્ઞાની મહાત્માઓ એક એક વિષયની અતિ સૂક્ષ્મ વિચારણા અહોરાત્ર કરતા. ઘડીક વિસામો લે તો પણ મૂળ વિષયને ન ભૂલે. દ્રવ્યમનથી બે ઘડી ટકે. પણ ભાવમનની સ્થિરતાને કારણે વળી વિચારણા આગળ ચલાવે. આવો સતત ઉપયોગ તેવા જ્ઞાનીઓને જ રહી શકે. ક્ષયોપશમીને બે ઘડી પણ ન રહે. વચમાં વિચારધારા તૂટે તો કેટલા કર્મ પુદ્ગલો આવી જાય. જીવ એક પળ પણ ઉપયોગ વગરનો નથી હોતો. માટે વિચારોની નિયમિતતા અને સ્થિરતા કેળવવી જે બાહ્ય કોઈપણ ક્રિયાની ધારાને રોકી ન શકે. શુભ અધ્યાવસાયથી અશુભને રોકી શકાય. તપ વગેરે કર્મોને પાતળા કરવા માટે છે, તપથી ઈદ્રિયોના રસો સુકાવા જોઈએ. તે સમયે વિતરાગના સ્વરૂપનું ચિંતન કરવું. મન અને ઈદ્રિયોને પણ તેનું ઐશ્વર્ય છે. વિષયલોલુપતાને કારણે નિર્બળતા મનાઈ છે. તેનું સંશોધન કરવું જોઈએ. નાનામાં નાનું ઈદ્રિય વિષયનું સુખ જીવને દર્શનાવરણ કરાવે છે. પ્રમાદથી બહાર નીકળવું તે શ્રાવકની દશા છે. નિત્ય જાગૃત દશા તે સાધુતા છે. જીવનમાં જે કંઈ અનુકૂળતા મળી તે સારી લાગવા માંડે તેમાં સાર્થકતા નથી. અને અનઉદ્દેશથી જીવનમાં કંઈ સાર નથી. ચૌદપૂર્વધર પ્રમાદમાં રહે તો આવરણ બંધાય, તો સામાન્ય જીવે કેવી રીતે જીવવું તે વિચારવું. મહા આરાધક તીર્થકર જેવા જીવ તો ગર્ભથી જ યોગીદશા ગાળે છે. સામાન્ય જીવ તો સતત્ કર્મ બાંધે છે. દેહ છૂટતાં વિગ્રહગતિ સમયે ૩ થી ૪ સમય માત્ર તેજસ અને કાર્પણ શરીર સહિત વિસામો ગણો કે કર્મ બળથી પ્રેરાઈને જીવ બીજી ગતિ ધારણ કરવા માટે નિસાસો લે છે તેમ ગણો. તરત જ બીજું શરીર ધારણ કરી કર્મની ગોઠવણમાં પાછો પડી જાય છે. વિષયમાં જતી એકે એક વૃત્તિ પ્રકૃત્તિનો થોડો થોડો ભાગ રોકે તો જ્ઞાનાવરણ છૂટે કયારે? નિત્ય તપોમયભાવ રાખે તો વૃત્તિઓ શિથિલ થાય. એક આહારની ગરજમાં સ્વાદ, ગમો, અણગમો આવે કષાયભાવ વધે તેનાથી કર્મબંધ થાય. આહારથી પોતાને ભિન્ન કરવાને બદલે તેની વિટંબણામાં પડ્યો. ખરેખર જરૂર કેટલી ? ઈદ્રિયોના દરેક વિષયનાં સુખો, નિદ્રા વગેરે માટે આવો વિચાર કરે છે શાને માટે જીવવું છે ? સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy