SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ભળતાં આવરણ દૂર થાય છે. ઉદયકર્મ ભોગવાઈ જાય. ઋષભદેવના સમયમાં (શિષ્યો) મનુષ્ય નિર્દોષ હતા. નટનો ખેલ જોવા રોકાયા. પ્રભુએ કહ્યું કે સાધુથી નરના ખેલ ન જોવાય. તરત જ તેઓ બોધ પામ્યા. તીવ્રરસ કે બીજી ઈદ્રિયોની ઉત્કટતા ન હોવાથી જ્ઞાનાવરણીય કર્મનું આવરણ બંધાય પણ મોહનીયકર્મ સુધીનું આવરણ ગ્રહણ ન કરે. મહાવીર સ્વામીના સમયના (શિષ્યો) મનુષ્યો વક્ર બુદ્ધિના હતા. મતિ, કલ્પનાની ઉત્કટતા જેવા રસોથી જ્ઞાનદર્શનનું આવરણ અને સાથે મોહનીયનું આવરણ ગ્રહણ કરતાં. કુતર્ક કરીને રસને પોષતા. જેમકે પ્રભુએ કહ્યું કે નટીનો ખેલ ન જોવો. તો નટનો જોવા રોકાયા. - આ યુગમાં મનુષ્યો નાટક સિનેમા વગેરે જુએ છે અને કહે છે કે તેમાં ઘણું શીખવાનું મળે છે. મનમાં કેવા વિકારો ઊઠે છે તે કોણ જાણે? તેવા પ્રસંગે દર્શનાવરણ અને જેવી વૃત્તિની ઉત્કટતા તેવું જ્ઞાનાવરણ બંધાય. જે જે વિષયમાં જેવો રસ, તે તે પ્રકારે વિવિધ ભેદે આવરણ થાય. સંસારરૂપી નાટકને જોઈ જીવ બોધ પામે તો આવરણ ઘટતું જાય. પણ એકાદ કલાકમાં પૂરા જીવનને જે નાટકાદિથી જોવાય તે જોવા વાસ્તવિક જીવનમાં ઘણાં વર્ષો ગાળવાં પડે તેવી ધીરજ કયાંથી રહે? કેવળ પોતેજ પોતાના કર્મનું નાટક જુએ તોય કેટલાં વર્ષો ચાલે. અને એ નાટક પણ વાસ્તવિક નથી. સિનેમાનાં દૃશ્ય તો કલ્પનાથી ઊભાં કરેલાં છે. તેનાં દશ્યોમાં મોહના રંગો હોય છે. તે શું શીખવે? તે તો આવરણ જ ખડાં કરે. ધર્મકથામાં બોધનો રંગ હોય છે તે આવરણ પાતળાં કરે. દરેક કર્મ તેના રસ પ્રમાણે કાળ અને સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને કર્મ પુગલ પ્રદેશોને જીવ ગ્રહણ કરે છે. એ કર્મો ઉદયમાં આવે અને જીવને વિવેક જન્મે તો ઉદય સમયે ઉકેલ થશે. આવરણથી આત્મા સર્વ રીતે દબાઈ જતો નથી. મન અને ઈદ્રિયોના રસની પ્રબળતાને કારણે કર્મ ઉદયકાળ સમભાવ રહેતો નથી. એટલે કર્મ ભોગવાઈ જાય છે અને નવા ગ્રહણ થાય છે. તે અકામ નિર્જરા થાય છે. ઉપયોગ જાગૃત રહે તો સકામ નિર્જરા થાય. ઉપયોગ ન રહે અને કષાયોનો બચાવ કરે તો અતિચાર આલોચનાને બદલે ઉતરતો ઉતરતો અનાચાર સુધી પહોંચી જાય. અને પરાધીન થઈ મોટો ભોગ આપે. સ્વરૂપ અવલોકન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy