SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ન જ હોય તેવું નથી. જેમ ગમે તેટલાં વાદળોમાં સૂર્ય છૂપાઈ જાય છતાં તેનો થોડો પ્રકાશ તો રહે છે જ અને તે પ્રકાશમાં પદાર્થ જણાય છે તે જ પ્રમાણે ગમે તેવાં ગાઢ કર્મો હોય તો પણ આત્માને અંશે પણ મતિ, શ્રુત જ્ઞાન હોય છે. આવરણની તરતમતા પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ રહે છે. (૧) ભિન્ન ભિન્ન પ્રકારના મતિજ્ઞાનને આવરણ કરનાર ભિન્ન ભિન્ન જ્ઞાનાવરણીય છે. જેમ મતિજ્ઞાનના મુખ્ય અઠ્ઠાવીસ ભેદ છે. અને અંતર્ગત ત્રણસો ચાલીસ ભેદ છે. તેમ દરેક ભેદે આવરણની ભિન્નતા છે એક અસત્ શબ્દ માત્રથી મતિજ્ઞાનાવરણ ગ્રહણ થાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ અને વીસ ભેદ છે તે રીતે શ્રુતજ્ઞાનાવરણ તે તે પ્રકારે છે. (૩) અવધિજ્ઞાનને આવરણ કરનાર અવધિજ્ઞાનાવરણ છે. (૪) મનઃ પર્યવજ્ઞાનના આવરણને મન:પર્યવજ્ઞાનાવરણકર્મ કહેવાય છે. (૫) કેવળજ્ઞાનનું આવરણ કરનારને કેવળજ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. આ પાંચ જ્ઞાનાવરણમાં કેવળજ્ઞાનાવરણકર્મ સર્વધાતી છે. પૂર્ણ ગુણને આવરણ કરે બીજા ચાર આવરણ દેશઘાતી છે. અલ્પ આવરણ હોય. દર્શનાવરણીય દ્વારપાળ જેવું છે. રાજાની ઈચ્છા હોય પણ દ્વારપાળ નારાજ હોય તો રાજાનો મેળાપ થતો નથી તે રીતે દર્શનાવરણ કર્મ જીવરૂપી રાજાની દર્શન શક્તિને બાધા પહોંચાડે છે. ઈદ્રિય વિષયોમાં ગાઢ સંબંધ થાય તેમ જ્ઞાનાવરણ ગાઢ થાય. માત્ર આંખથી જોયેલી ચીજ આંખને જ આસક્તિ નથી પહોચાડતી પણ તેની સાથે બીજી ઈદ્રિયો પણ ઉત્કટતા અનુભવે છે. આમ દશ્ય એ આંખનો વિષય હોવા છતાં ગૌણપણે બીજી ઈદ્રિયો તેમાં આસક્ત થાય છે. મન સાથે તેનો મુખ્ય સંબંધ છે. દશ્યનું દર્શન થવું તે ચક્ષુઈદ્રિયનો સંબંધ છે, પણ તેમાં મન રસ ન લે તો બીજી ઈદ્રિયો શાંત રહે છે. તેથી વિશેષ સંબંધ થતો નથી અને જ્ઞાન કે દર્શનનું આવરણ થતું નથી. સાક્ષીભાવ આવરણને રોકે છે. પદાર્થનો અને સ્વભાવનો વિવેક આવરણને અટકાવે છે. જ્ઞાનકર્મ બચાવે છે. મોહનીય કર્મના કારણે કષાયની વિકૃતિથી રસ ઉત્પન્ન થાય છે. અને ઘાતી કર્મને આશ્રયે અઘાતી કર્મનો ઉદય રહે છે. ગુણોની હીનતા હોય ત્યાં સુધી સમકિતની ઢાલ જોઈએ. બે ઘડીની જાગૃતિ સ્વરૂપ અવલોકન ૯૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy