SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણ દર્શનને દ્વારપાળની જેમ રોકે છે. છતાં સમ્યફભાવે તેનો ઉકેલ આવે. પોતાના સ્વભાવને ન છોડે તો બધું ગોઠવાય. વિષયરોગ આંખને લાગતો નથી. આંખ તે દશ્યને ગ્રહણ કરે છે. અને મન તેમાં રસ લે છે પછી તેમાં રાગાદિભાવ કરી બંધાય છે. જગતના મિથ્યાજ્ઞાનથી આત્મજ્ઞાન બીજે છેડે છે, અજ્ઞાન એ જ્ઞાનનું આવરણ છે. અસત્ ઉપયોગને કારણે જ્ઞાન ઢંકાઈ જાય છે. આથી આત્મા વિભાવમાં જોડાઈ સમયે સમયે કર્મબંધ કરે છે. માટે શુદ્ધ દર્શન અને જ્ઞાનની જરૂર છે. બંધથી છોડવનાર ધર્મમિત્ર છે. આ જીવને આવરણ છે માટે આવરણને જાણવાની જરૂર છે. જેથી તેનાથી મુક્ત થવાય. દર્શનાવરણીસકર્મ વસ્તુના સામાન્ય બોધને આવરણ કરે તે. દર્શનાવરણના ચાર ભેદ છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દર્શન. (૧) આંખને કોઈપણ પદાર્થનો સામાન્ય બોધ ગ્રહણ કરવામાં આવરણ થાય તે ચક્ષુદર્શનાવરણ છે. (૨) ચક્ષુ સિવાયના ત્વચા, જીભ, નાક, કાન તથા મનથી પદાર્થનો સામાન્ય ભાસ થાય, તે અચક્ષુદર્શન છે તેના આવરણને અચક્ષુદર્શનાવરણ કહે છે. (૩) ઈદ્રિય અને મનની સહાય વગર આત્માને રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ થાય છે તે અવધિદર્શન છે અને તેના આવરણને અવધિ દર્શનાવરણ કહે છે. (૪) સંસારના સંપૂર્ણ પદાર્થોનો સામાન્ય બોધ તે કેવળદર્શન છે તેના આવરણને કેવલદર્શનાવરણ કહે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય અને ત્રણઈન્દ્રિયધારી જીવોને, ચક્ષુદર્શનાવરણ હોય છે. અને તેથી તે જીવો તે યોનિમાં જ ઉપજે છે. ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના જીવોને ચક્ષુ હોવા છતાં રોગાદિથી ચક્ષુ કામ નથી આપતાં તે આવરણ છે. મન:પર્યવમાં દર્શનાવરણ નથી કારણ કે આ જ્ઞાન વિશેષ ભેદ કે ધર્મને જ ગ્રહણ કરે છે. મન:પર્યવજ્ઞાનની એટલી વિશુદ્ધિ છે કે વિશેષધર્મ ગ્રહણ કરે છે. તેમાં સામાન્ય બોધની અપેક્ષા નથી. સ્વરૂપ અવલોકન ૯૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy