SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યય છે. નારકીને પાપનો પ્રત્યય છે. તેથી પાપની સ્મૃતિ થઈ આવે અને વધુ પાપ કરવા પ્રેરાય. ક્ષાયિક સ્પર્શના થઈ હોય પણ નિકાચિત આયુબંધને કારણે નરકગામી થયેલો જીવ કર્મોની ઉદીરણા કરી ઘણાં કર્મોનો ક્ષય કરે. અકામ નિર્જરા હોવા છતાં વિકાસ સાધે છે. ક્ષાયિક સમકિતને કારણે પાપ રસ મંદ રહે છે. નારકમાં વિર્ભાગજ્ઞાન હોય તે દૂરગામી ક્ષેત્રને જાણી શકે, છતાં પરિણામો અશુભ થાય. તપથી નિર્જરા થાય, ભાવ શુદ્ધ હોય તો આવરણ ટળે. જ્ઞાન આત્માનો ગુણ છે. તેના પર આવરણ હોય. તેને દૂર કરવા આત્મા સ્વતંત્ર છે, સદાચાર સહાયક થાય. શ્રાવકની કલ્યાણકારી જવાબદારી પોતાના પૂરતી છે. સાધુની જવાબદારી સ્વ-પર કલ્યાણની છે. પોતાના સંસ્કાર અને વર્તમાનની પરંપરાએ જે સાધન-ક્ષેત્ર મળ્યાં હોય તેમાં આગ્રહ મૂકી જ્ઞાનઆરાધન કરે તો તે ઉચિત છે. શ્વેતાંબર મૂર્તિપૂજક હોય, દિગંબર મૂર્તિપૂજક હોય, સ્થાનકવાસી સ્થાનકને માને, સત્ રીતે આરાધે તો દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના થાય. આત્માગણી છે, છતાં માર્ગ અજ્ઞાનનો ગ્રહણ કરે તો જ અજ્ઞાન બંધાય. મહાપૂર્વધર જેવાએ પણ અગિયારમા ગુણસ્થાનક સુધી જાગૃતિ રાખવાની છે. સાત સુધી તો અનંત ભવભ્રમણની કંઈ ગણતરી નથી. શાસ્ત્રના સિદ્ધાંતો, આચારો, અને ભેદોને ત્રિપદીથી જાણવા તે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય. હેય, શેય અને ઉપાદેય. ક્ષાયિક સમકિતભાવે ન થાય ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન આ રીતે સહાયક થાય. નવ તત્ત્વોમાં કયા છોડવા જેવાં છે, જાણવા જેવાં છે અને આરાધવા જેવાં છે તેનો વિવેક સમજી લેવો. ઉત્તરોત્તર વિકસતા જ્ઞાનમાં પુરુષ પર્યાયને પ્રાધાન્ય અપાયું છે. સ્ત્રી દેહને સ્વભાવે કોમળતા, ગર્ભાધાન જેવા અંતરાયોને કારણે કેટલીક મર્યાદા રહી છે. અશુદ્ધ પુદ્ગલો બીજા દ્રવ્યને અશુદ્ધિની અસર પહોંચાડે છે. તેથી માસિક જેવા પ્રસંગે કેટલીક વિધિઓને વજર્ય ગણી છે. દેહને પણ શુદ્ધ કરવો પડે છે. તેની શુદ્ધિ જરૂરી છે. આવાં કેટલાંક કારણોસર ગૌણતા રહી છે. ભવ્યને અવધિજ્ઞાન ચારિત્રગુણમાં સહાયક બને છે. મતિ તથા શ્રુતજ્ઞાન સુધી કર્મની પ્રબળતા હોય છે. અવધિજ્ઞાનમાં ઉપયોગની કંઈક શુદ્ધતા રહે સ્વરૂપ અવલોકન Jain Education International ૯૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy