SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ છે. દેવોને પણ આ જ્ઞાન વડે શુભભાવના રહે છે. તે પણ જો વિભંગજ્ઞાની હોય તો ઉપદ્રવ કરે. મનુષ્ય અને તિર્યંચને લબ્ધિ-ગુણપ્રત્યય છ માસથી વધારે આ જ્ઞાન ન ટકે. સમ્યગુભાવ હોય તો ટકે છે અને તીર્થકરના કલ્યાણકોમાં ભાવપૂર્વક વૃદ્ધિ કરે છે. શુદ્ધ ઉપયોગને કારણે અવધિજ્ઞાન અનુગામી, વર્ધમાન અને અપ્રતિપત્તિ ત્રણે પ્રકારે વિકસતું રહે છે. અતિમુકત કુમારને ઈરિયાવહિયા પડિક્કમતા, ઉપયોગમય દશાને કારણે સાધુપણાનું આત્યંતિકપણે ભાન થયું. પ્રશ્ચાત્તાપ યુક્ત પરજીવની દયા ચિંતવી. પોતાની પણ દયા ચિંતવી. અને પુલનું મમત્વ છોડ્યું. કર્મક્ષય થતાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને વટાવીને કેવળજ્ઞાન પામ્યા. પોતાની દયા ચિંતવવાથી પાપકર્મોથી નિવૃત્તિ થાય, તેમાં પરદયા સમાઈ જાય. કેવળ પરદયાથી આત્મશુદ્ધિ થતી નથી. જેમ કે કોઈ અવધિજ્ઞાની દેવને કોઈ મનુષ્યની દયા આવે અને જમીનમાં દાટેલું ધન બતાવે તો તે દયાભાવ ખરો પણ તેમાં ગૃહસ્થને લૌકિક લાભ થાય તેથી હિંસાભાવ આવે. આવાં કારણોથી આ જ્ઞાન ઘટતું જાય. એક સમયમાત્રમાં કેટલાયે પુગલોનો ફેરફાર થાય. કેવળજ્ઞાની જાણે તેનાથી અનંતમા ભાગનું અવધિજ્ઞાની જાણી શકે. આ જ્ઞાન પદ્ગલિકરૂપી પદાર્થોને જણાવે છે. તે બધું જોઈને જીવ કુતૂહલમાં કે લાલસામાં જાય તો તે જ્ઞાન નમી જાય છે. જે ક્ષેત્રે આવે ત્યાં જ્ઞાન સતરૂપે ન રહે તો તે ક્ષેત્રવાસ જડતાભર્યો બને. લબ્ધિ અને ઉપયોગ જ્ઞાન સહિત હોય તો સક્રિયા થાય. લબ્ધિથી આવરણો દૂર ન થાય શુદ્ધ ઉપયોગથી જ આવરણો શુદ્ધ થાય. લબ્ધિવંત હોય, તપસ્વી હોય છતાં જે ઉપયોગમાં ચૂકે તો ઘણો કાળ ભ્રમણ વહોરી લે. વળી અવધિજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છતાં કેવળજ્ઞાનમાં તેની અપેક્ષા નથી. આથી ચાર જ્ઞાનના ધારકને પણ તીર્થકરાદિનું આજ્ઞાશરણ અને ભાવપૂજા કહી છે. ભલે નિરાકાર અવલંબન લે. સામાન્ય જીવને સાકાર અવલંબનમાં સ્થિરતા રહે. ઉત્તમ ભાવ ન જાગે તો વિષય સંબંધ ક્ષીણ ન થાય. વળી પ્રમાદમાં આવે અને આયુષ્ય પુરું થાય તો જન્માંતર થતાં સમકિતને બદલે મિથ્યાત્વ ઉદય પામે, તો જે શક્તિ કર્મ દૂર કરવામાં સ્વરૂપ અવલોકન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy