SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી ચારજ્ઞાનના સ્વામી હતા છતાં તેનો ઉપયોગ ન કરતાં. પ્રભુના વિશ્વાસ પર જ સર્વ કાર્ય સાધતા. આવાં દૃષ્ટાંતોમાંથી ઉપાદાનનું કારણ લેવું. માત્ર નિમિત્ત કારણ લેતાં તેનું રહસ્ય સમજાતું નથી. મુક્તિગામી જીવો ઘણી આતાપના અને પરિષહો વેઠયા પછી કર્મથી મુક્ત થયા છે. ગતિમાં મતિ અને શ્રુતનો ઉપયોગ શા માટે ? આત્માને આ જ્ઞાન ગુણરૂપે છે કે પર્યાયરૂપે તે સમજી લેવું. ગુણરૂપે હશે તો જ વિકાસક્રમ થશે. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે કેવી સંગતિ છે તે વિચારી લેવું અને તેમાં વિરતિનો ઉદય આવે તો શ્રુત પરિણામરૂપ થાય. અને જો અજ્ઞાનવશ થાય તો તિર્યંચ આદિ ગતિમાં જાય. શ્રુતનું કામ પરિસ્થિતિને સ્પષ્ટ કરવાનું છે. અને કેવળજ્ઞાન સુધી સહાયક થવાનું છે. મતિ શ્રુતની શુદ્ધતા અતિન્દ્રિય શકિતમાં લઈ જાય છે. પણ જો પ્રકૃતિમાં અશુદ્ધિ હશે તો તેનો ઉપયોગ પૌદ્ગલિક સુખમાં થશે. માટે મતિ શ્રુતજ્ઞાન સાથે વિરતિને જોડવી તે જ ધર્મ છે. ઉપવાસ દેહભાવથી કરે કે રોગ મટાડવા કરે તો રોગ મટે, પણ જ્ઞાન વગર ભવરોગ ન મટે. શરીર નીરોગી થતાં પાછું સુખ ઈચ્છે પણ ખરું. કારણ કે મૂળમાં દેહભાવ હતો. જ્ઞાન પર્યાયરૂપે હોય તો દેહ-જન્યભાવો રહે અને ગુણરૂપે હોય તો આત્મભાવ પરિણમે. ગુરુનું કર્તવ્ય જ્ઞાનનું ભાન કરાવવાનું છે. ગુણરૂપે જ્ઞાન આપવાનું છે. શિષ્યનું ક્તવ્ય આજ્ઞાપાલન કરવામાં છે. ઉદ્દેશ સાથે સમઉદ્દેશ રાખવો. એટલે જેવું જ્ઞાન તેવું આચરણ. અથવા ગુરુ જેવા ઉદ્દેશથી શિષ્યને ઉપદેશ આપે તેવું જ આચરણ રાખે તે સમઉદ્દેશ છે. આપ્તપુરુષ, તીર્થંકર ભગવાનના વચન ભવથી નિસ્તાર કરે તેવા રહસ્યમય છે. અવધિજ્ઞાન : અવધિજ્ઞાન જીવની જ જ્ઞાન અવસ્થા છે તે પાંચ જ્ઞાનમાં ત્રીજા પ્રકારે છે. અવધિજ્ઞાનના મૂળ બે ભેદ છે. (૧) ભવપ્રત્યય (૨) ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવો અને નારકને જન્મથી હોય છે. ગુણપ્રત્યય, તપસ્યાદિજ્ઞાનની આરાધનાને લઈને મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન પ્રગટ થાય છે તે ગુણપ્રત્યય છે. ગુણપ્રત્યયના છ ભેદ છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અપ્રતિપાતિ અને પ્રતિપાતિ. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૮૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy