SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કાર્યના સંદર્ભને સમજયા વગર આવા પ્રભુનું ચરિત્ર બાલવબોધ જેવું સમજાય છે. તીર્થકરનો જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંની સાથે ત્રણ જ્ઞાન સહિત હોય છે. ત્રણ જ્ઞાનના ઉપયોગથી વર્તતા પ્રભુ બાળક્રીડા કરતા ત્યારે તે ક્રીડા સહજ ઉપદેશાત્મક હોય. સર્પને હાથથી પકડી દૂર કરવામાં પ્રભુનો ભયથી અભય થવાનો ઉપદેશ હતો. તેમ દરેક પ્રસંગોએ વિશેષતા ગ્રહણ કરવી. તેમને જીવન કે મરણનો ભય ન હોય. શ્રી મહાવીર પ્રભુએ જન્મ અભિષેક સમયે દેવોને પણ માનવ આત્માની આ શક્તિનું ભાન કરાવ્યું કે જગતના જડ પદાર્થ કંપને અનુસરે છે સ્વ-સ્વરૂપી આત્માઅકંપ છે. પૂર્વ પ્રારબ્ધના યોગે શાળાએ જવા વગેરે વ્યવહાર ક્રિયા કરી. નવું શીખવાનું કોઈ પ્રયોજન ન હતું. પ્રભુતામય પવિત્રતા પાસે પહોંચેલો એ આત્મા હતો. તેમનો પુણ્યયોગ પ્રબળ હતો. ગર્ભાવાસમાં આવતાંની સાથે બધી અસરો જણાવા માંડી. માતાનું મહાન સ્વપ્નોનું જોવું, જન્મ સમયે ધનધાન્યાદિક વૃદ્ધિ થવી, લોકોમાં પ્રેમનો આવિર્ભાવ થવો, તેમનાં આ અનન્ય લક્ષણો હતાં. આવા પ્રભુનું ચરિત્ર વાંચતાં તેમની ઉત્તમતાની વિચારણા કરવી. રાજીમતિ અને તેમનાથનું દષ્ટાંત એ કેવળ રાજારાણીનું કે નવ જન્મ કેવળ દેહાદિ દામ્પત્યનું દૃષ્ટાંત નથી. ઉત્તરોત્તર આત્માની ઉચ્ચ શ્રેણીની વિકાસ ગાથા છે. નેમિનાથ પ્રભુ ત્રણ જ્ઞાનના ધણી હતા. પોતાની ક્ષેત્રસ્પર્શતા જાણતા હતા. નવભવના સંબંધની અહીં પૂર્ણાહુતિ થવાની હતી. રાજીમતિના મોહને છોડાવવા સુધીનું એ કર્તવ્ય હતું. નવ જન્મોના ઋણાનુબંધને સખત આંચકો આપી ચાલી નીકળ્યા. રાજીમતિને પતિભાવમાંથી બહાર કાઢી. તે પણ તત્સવ મોક્ષગામી હતી. તેનાં આવરણો દૂર કરવાનું તેમનું એ હતું. નેમરાજુલના કેવળ રાસડા ગાવાથી આ આત્મશ્રેણી સમજમાં ન આવે. આત્મભાનથી જ આવા ચરિત્રમાં ભાવના દેઢ થાય. આ કાળે આ દેહથી મોક્ષ સાધ્ય નથી, પણ કર્મની મંદતા થઈ શકે. ઓછામાં ઓછા મતિ અને શ્રુત બે જ્ઞાન શુદ્ધ થઈ શકે. કેવળી ભગવંતનું અવધિજ્ઞાન શુદ્ધ છે. અન્ય જીવોનું આ જ્ઞાન જો અનઉપયોગ દશામાં પણ હોય તો કર્મ બંધમાં લઈ જાય. સાધુ-સાધક અવધિજ્ઞાનથી કુતૂહલ વશ પ્રસંગો ને જુએ તો દર્શમોહનીય બંધાય અને તે જ્ઞાનને વમી જાય. ૮૮ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy