SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણાં શાસ્ત્રોમાં સ્ત્રી, નિંદાનું પાત્ર ગણાઈ છે. સ્ત્રી દેહ નિંદ્ય નથી તેમાં રહેલી માયા કપટ આદિ પ્રકૃતિ નિંદ્ય છે. નપુંસક પણ નિંદાને પાત્ર નથી. શ્રાપને કારણે પૂર્વસંચિતને ભોગવનાર તે જીવો કર્મનો ક્ષય કરીને પણ મોક્ષગામી થઈ શકે છે. | ગુરુગને શાસ્ત્રાર્થ જાણ્યા વગર અર્થઘટન ન કરવું. શ્રુતજ્ઞાનના ભેદ જાણીને પોતાને કર્મોથી અભેદ કરવાનો છે. શ્રુતજ્ઞાન વડે કાળાદિની વિચારણા કરી જ્ઞાનદષ્ટિએ સ્વરૂપને જાણી લે. આત્મસાક્ષાત્કાર માટે આત્મ શ્રદ્ધા દઢ કરવી. આત્મા વગર આત્મસાક્ષાત્કાર કોનો થશે ? તે પછી સદ્ગુરુમાં શ્રદ્ધા દઢ કરવી, નહિ તો ઉપદેશ સમયે જીવ તર્ક કે શંકામાં પડી જાય. જમાલિને સર્વજ્ઞની વાણીમાં શંકા થઈ હતી. પ્રભુને પહેલાં સર્વજ્ઞ માન્યા પણ પોતાના કષાયજન્ય જ્ઞાનને સત્ય ઠરાવવા કહેવા લાગ્યો કે કેવળી પણ ભૂલ કરે. તેમનું નિદાન ખોટું ઠરે, સાક્ષાત તીર્થકરનું ચારિત્ર જાણવું સમજવું દુર્લભ છે તો પછી સિદ્ધનું સ્વરૂપ કેમ સમજાય? ક્ષયોપશમ ભાવ ગમે ત્યાં ઘસડી જાય. માટે નિશ્ચયબળ વધારવું. આત્માની વર્તમાન દશા કર્માધીન છે, અનાદિથી આ દશા થઈ છે. તેમાંથી ગાઢ બનેલા સંસ્કારો અને ટેવો તેના આધારે સુખ શોધે છે. આપણે આહારમાં સુખ માનીએ. પશુપક્ષી માનવના નિહારમાં આહારનું સુખ માને તેમ જગતમાં અનંત પ્રકારના સુખોમાત્ર સુખાભાસ છે. અને અનંત સુખની વ્યાખ્યા એક આત્મસ્વરૂપમાં જ સમાય છે. આજના સંતો અને કેવળીને સરખા જ્ઞાની માનવા તે અજ્ઞાન ભરી કલ્પના છે. આચારની અતિશય શુદ્ધતા હોય, નીરોગી હોય તે મહાનતા છે. પણ કેવળી પ્રભુને નીરોગીતા તે અતિશયપણે હોય છે. તેમના શ્વાસોશ્વાસ સુગંધમય હોય. આહાર-વિહારની ગુપ્તતા હોય. તેમના લોહીના રજકણો શ્વેત હોય, આ બધી અતિશય રૂપી સિદ્ધિઓ સહજપણે વરેલી છે. પૂર્વ-સંચિત પ્રબળ પુણ્યના યોગોનો ઉદય છે તે સહજપણે પ્રગટે છે. તીર્થકર ભગવાનનું માહાભ્ય : નારક અને દેવોનાં શરીર વૈક્રિય છે. તીર્થકર, કેવળી ભગવંતોના શરીર ઔદારિક છે પણ અતિ શુદ્ધ છે. શરીરનો રોમરોમ શ્વાસોશ્વાસ નિયમબદ્ધ છે. તે શરીરની શક્તિ આગળ સામાન્ય માનવ પામર છે. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy