SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિદેહ જેવા ક્ષેત્રનો યોગ દુર્લભ થાય. લૌકિક માનવતા કેવળ દયા કે સ્વમાન સુધી જ પહોંચી શકે સાચી માનવતા મુક્તિ સાધવામાં છે. જૈન શાસ્ત્રમાં મુક્તિની વ્યાખ્યા સ્વતંત્ર અને નિરપેક્ષ છે. કેવળ એક ઈશ્વર જ મુક્ત ગણાય તેવો એકાંત નથી. અનંત જીવો મોક્ષે ગયા અને જશે. દરેક આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ છે. કેવળ એકાંતવાદ તે મિથ્યાશ્રુત છે. તેના સિદ્ધાંતોને સમ્યગુભાવે સમજે તો સુશ્રુતરૂપે પરિણમે. કોઈ પદાર્થનું અજ્ઞાન હોય તેના કરતાં મિથ્યાજ્ઞાન હોવું તે બંધનકર્તા છે. સામાન્ય રીતે શ્રુત એ પાણી જેવું છે તેમાં કુશ્રુત, મિથ્યા કે અજ્ઞાનનો આરોપ થતાં તે તે રૂપે પાણીમાં રંગ ભળે તેમ તે ભળી જાય છે, માટે શાસ્ત્રજ્ઞાન ખૂબ વિવેકપૂર્વક ગ્રહણ કરવું. પરિણામની ધારા શ્રતને જ્ઞાન કે અજ્ઞાનરૂપે ગ્રહણ કરે છે. ભક્તિના વિષયમાં કાવ્યરસના અતિરેકપણાને લીધે ભેળસેળ થયું છે. જૈન અને હિંદુ રીતિઓ પરસ્પરની અસર હેઠળ આવી છે. પ્રભુ પતિ, પોતે પ્રિયતમા, પોતે દાસી, પ્રભુ માલિક પોતે સેવક, પ્રભુ સ્વામી, આવા ભાવો કાવ્યમાં પ્રદર્શિત થાય છે. પ્રભુ એકાંતે તારનાર નથી. તેમની કરુણાને કારણે જીવો આભાસાધનામાં ઘણું બળ મેળવતા અને ગાઢ કર્મો સામે બાથ ભીડીને તેનો નાશ કરી શકતા તેમની આજ્ઞા અને ઉપદેશની તે નિર્મળતા હતી. વિતરાગ પ્રભુને તારવા-તરવાની ઈચ્છા માત્ર નથી હોતી. તેમની ઉપસ્થિતિ બંધન તોડવામાં પ્રબળ નિમિત્ત બને છે. ચંડકૌશિક સર્પના ઋણાનુબંધ પૂરા થવાના હતા. પ્રભુની અપાર કરુણાને કારણે “બુઝ' શબ્દથી તે બુઝાયો. પ્રભુએ તેને પૂરતો સમય આપ્યો. પણ પોતાનાં કર્મો ખપાવવા સર્પને પોતાને જ સહન કરવું પડ્યું. ભક્તિમાં વિનય હોય, દીનતા ન હોય. પરાભક્તિ સમાનતા લાવે છે, જેનું પ્રભુનું સ્વરૂપ છે તેવું જ દરેક આત્માનું સ્વરૂપ છે. સ્ત્રીલિંગ એ પૂર્વ સંચિત પ્રારબ્ધનો પર્યાય છે. પુરુષાર્થ કરે તે પુરુષ. રાજીમતિ જેવી સ્ત્રીએ પ્રભુ આજ્ઞાએ પ્રવજ્યા લઈ પુરુષાર્થથી ભવવેદોદય ટાળ્યો. અને રહનેમિ જેવા કામાતુર પુરુષને પણ તે માર્ગે વાળ્યો. રહનેમિને થોડો કાળ અશુભ ઉદય હતો, પણ તેને યોગ્ય બોધ મળતાં પાછો પુરુષાર્થ તરફ વળ્યો અને અશુભમાંથી બહાર નીકળી ગયો. તેની પાછળની દશા વિચારવી. ૮૬ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy