SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આત્મભાવથી કયાં દૂર થવાય છે તેનો સતત ખ્યાલ રાખવો. શ્રુતને આરાધીને જીવો શ્રુતકેવળી થયા છે. કૈવલ્યનો પાયો શ્રુત બને છે. શાસ્ત્રઅધ્યયન કરીને પોતાને રુચતો કે ભોગ્ય અર્થ ગ્રહણ ન કરવો. વિરતિ દશાને ઉપાસવી. અંગોના-શાસ્ત્રોના અભ્યાસ પછી પણ પ્રમાદ કે માન જેવા કષાયથી જ્ઞાનાવરણ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન સમીપજીવી છે. બહારની વસ્તુ નથી. આત્માનો ઉપયોગ છે. છતાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન હોય. પોતાનાં કર્મોનું પરિવર્તન પોતે જાણે ત્યારે તે કર્મોનું પરિવર્તન ગણાય. અથવા જ્ઞાનીનો નિર્ણય માન્ય કરવો. પ્રમાદ જેવું એકજ કર્મ વિષમદશા પેદા કરે છે, તો કર્મનો મોટો સમુદાય શું પરિણામ લાવશે? આ અજ્ઞાનને દૂર કરવાની ચાવી સમ્યગુશ્રુત છે, તેના બોધ પ્રમાણે આચાર રાખે તો દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થવાય. ક્ષયોપશમને કારણે ભાવની તરતમતા રહે. મોક્ષ માર્ગની આરાધના તે જ્ઞાન છે. શુભ કર્મયોગને કારણે દેવાદિ ગતિમાં જવાથી તેટલો સમય મુક્તિનો અંતરાય રહે છે. નવગ્રેવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો આત્મ સંવેદનાનું સુખ ભોગવે છે છતાં મનુષ્યભવને ઝંખે છે કારણકે મુક્તિનું એક સાધન માનવ દેહ છે. તેથી મનુષ્યને દેવનાં પ્રિય' કહ્યો છે. જીવ માત્રને શરીર મળે છે. મનુષ્યને મન મળે અને વિચાર શક્તિ મળે તેની મહત્તા છે, તે મોક્ષાર્થે થાય તો સાચી મહત્તા ગણાય. તીર્થકર, ગણધર, કેવળી ભગવંતો સૌ મનુષ્યજન્મ પામીને જ મુક્તિ પામ્યા છે. મહાવિદેહના ચાર વિજયમાં (દેશમાં) અખંડ મોક્ષમાર્ગ પ્રવર્તે છે. આ ક્ષેત્રે તીર્થંકર શાસન પ્રવર્તાવે છે, ચોથા આરાના અંત સુધી ભરતક્ષેત્રે એવું શાસન રહ્યું. પાંચમા આરામાં એવું પ્રત્યક્ષ શાસન નથી. છઠ્ઠામાં તો શાસનનો જ વિચ્છેદ છે. શાસન શરૂ થાય ત્યારે સાચું માનવપણું શરૂ થાય તેવું શાસન ચોથા આરા સુધી ટકયું. પાંચમા આરામાં એવું શાસન ન રહ્યું પણ મોક્ષ માર્ગની આરાધનનાં સાધનો રહ્યાં જે વડે મહાવિદેહ જેવા ક્ષેત્રે પહોંચવાનો માર્ગ પ્રાપ્ત થઈ શકે. પણ આ જન્મમાં તીર્થકરના શાસનકાળમાં હોવા છતાં પુરુષાર્થ ન કરે તો ભવ ભ્રમણ ચાલુ રહે. સ્વરૂપ અવલોકન Jain Education International ૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy