SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ રાચે તો સ્વભાવસુખ ગુમાવે છે. જ્ઞાન એટલે જ સંસારસુખની કલ્પનાનો અભાવ. જ્ઞાન માટે જીવન ગાળે તો સાર્થકતા થાય. જ્ઞાની ચડતા અને પડતા બંને જીવોને જ્ઞાનમાર્ગ બતાવે છે, ચડતાને પણ એક ક્ષણ પ્રમાદ ન સેવવા કહે. પડતાને સંસાર પરિભ્રમણનાં કારણો, નરકાદિ દુઃખોનું ભાજન કેમ થવાય વગેરેનું દર્શન કરી પ્રમાદ મંદ થવા માર્ગ બતાવે છે. કષાય જ્ઞાનને ઘેરી લે છે. તે પણ પૂર્વકર્મનો ઉદય છે તેને જાણી લે અને જ્ઞાનમાર્ગને ન ચૂકે. સમ્યગ્ શ્રુત સત્તામાં હોય તેથી ક્ષયોપશમને કારણે ઉપયોગ ચૂકે ત્યારે મોહાદિ થાય. પુદ્ગલમાં સુખનો ભાસ થાય. પરંતુ ત્યારે ધીરજથી સમ્યગ્ શ્રુતનો સહારો ન મૂકે તો સકામ નિર્જરા આત્માને મોક્ષગામી બનાવે. શ્રુતજ્ઞાનની આરાધના પંચવિધ સ્વાધ્યાયથી કરવી. મનુષ્યદેહમાં સ્વતંત્રતા છે તેથી એક સાથે મહાવિકાસ કરી શકે. કેવળ એક જ અક્ષરનું ધ્યાન કરનાર મુક્તિ પામ્યા છે. એક અક્ષરને પણ સમ્યભાવે ગ્રહણ કરવો જોઈએ. કાર્યકારણ ભાવને સમજે તે પ્રમાણે વર્તે તે શ્રુત છે. ધાર્મિક ક્રિયામાં વિધિ-નિષેધના આગ્રહમાં જ રોકાઈ રહે તે અજ્ઞાન છે. ત્યાં પણ મારાપણાથી મમતા બંધાય છે. આ જ દેરાસર, આ જ મારા ભગવાન એની હું જ પૂજા કરું તેવો ભાવ તે મતિઅજ્ઞાન છે. કેવળ વિતરાગનું સ્વરૂપ વિચારી તેમાં પોતાના શુભભાવને સ્થિર કરે તો જ્ઞાનમય પૂજા થાય. કયાં ધર્મ છે કયાં અધર્મ છે તેનો વિવેક ન કરે અને અતિરેકમાં જઈ સર્વધર્મને સમાન માને તે પણ અજ્ઞાન છે. દરેક ધર્મનાં શાસ્ત્રોને તેના સિદ્ધાંતો પ્રમાણે સમજે. અને એકનો સિદ્ધાંત બીજા પર ન આરોપે તો શાસ્ત્રજ્ઞાનથી જ્ઞાનાવરણ દૂર થાય. ધાર્મિક પ્રવચન કરનાર, શાસ્ત્રના ભણનાર કે લખનારની મોટી જવાબદારી છે. એકે એક શબ્દથી સરળ જીવો કેવી અસરમાં આવશે ? શું આચરશે તે વિચારણીય છે. જ્ઞાન આરાધનાને બદલે અજ્ઞાનમાં ચાલી જાય અને પ્રમાદ વશ કષાયબીજ રોપાય. વર્તમાનમાં જાગૃત રહી ભૂતકાળની કુટેવોને છોડે તો ત્રણે કાળની સુધારણા થાય. પોતે જાણતો હોય કે આ ક્રિયા અજ્ઞાનમય છે છતાં લોકલજ્જાથી કે ભયથી પોતે કરે અને બીજા પાસે કરાવે, કરનારને પ્રેરણા આપે તેથી પોતે જ્ઞાનાવરણ બાંધે, બીજાને બંધાવે. માટે દરેકે વિવેક જાળવવો. પોતે કઈ રીતે ઉપયોગ સેવે છે, યોગો કાં વર્તે ૮૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy