SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધ્યેય હોય, લક્ષ્ય પ્રબળ હોય તો મહાવિદેહના યોગ્ય ક્ષેત્રે જન્મ ધારણ કરી મુકિતને પામે. વિરશાસન ક્ષેત્રમાં એંસી વર્ષે ધર્મભાવના ન થાય તેને મહાવિદેહ મળે કયાંથી? અને મળે તો પણ ત્યાં શું કરે? શબ્દકૃતનો અને તેના ભાવનો મહિમા છે. તીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર. તેઓ જયાં જયાં વિચર્યા તે તીર્થ થયા. તીર્થ આત્માને તારે. આથી ભવી જીવો સંઘ કાઢતા. આચાર્યોના માર્ગદર્શન હેઠળ છરી (છ પ્રકારનાં વ્રત) પાળતા યાત્રા થતી. તેમાં ઘણા જીવોનાં પરિણામ પરિવર્તન થતાં. આજે તો સાધનો વધ્યાં. સાધનામાં પણ શીઘતા આવી, આથી ભાવ પરિણામનું લક્ષ ઘટી ગયું. વિવેક ગયો. તીર્થમાં પહોંચ્યા પછી વિતરાગતા, વિતરાગ પ્રભુનું સ્વરૂપ કેવી રીતે પરિણમે? આહારાદિનો સંયમ કેવી રીતે રહે? પુલભાવ ગળે તો આત્મપરિણામ વધે. બાહ્ય કે આતંર સ્વરૂપને ન જાણે તે મિથ્યાશ્રુત કે અજ્ઞાન છે. જ્ઞાનની ક્રિયાને પોતાની મતિ કલ્પનાથી અજ્ઞાનરૂપ પરિણમાવે તે મિથ્યાશ્રુતજ્ઞાન છે. લબ્ધિ એ આત્માની શક્તિ હોવા છતાં ઈદ્રિય સુખમાં ભળી જાય તો ક્ષીણ થાય છે. શુદ્ધ ઉપયોગ દ્વારા જ લબ્ધિ સાધનરૂપ થાય છે. જ્ઞાનમય ઉપયોગ હોય તો વિષયની અભિલાષા થતી નથી. પુણ્ય અને પાપ આશ્રવરૂપ છે બંનેના સંવરભાવથી આત્માની શુદ્ધ દશાની પ્રતીતિ થાય છે. મિથ્યાત્વી દ્રવ્ય સંવર સુધી પહોચે છે. ભાવ નિર્જરા-સકામ નિર્જરા હોય તો જ ભાવ સંબધ ક્ષીણ થતા જાય છે. અને મોક્ષ દ્વાર ખૂલે છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્માની નિર્જરા ક્રિયા ચાલે છે. સૂક્ષ્મયોગને પણ રુંધવા પડે છે. ત્યારે અયોગી દશા પ્રગટે છે. અંતિમ અણુ સંબંધોનો ક્ષય થતાં આત્મા દેહથી નિર્વાણ પામે છે. કોઈપણ શુદ્ધ ક્રિયાથી સકામ નિર્જરા થાય તો જ કર્મોનો ક્ષય થાય, અકામ નિર્જરાથી આત્મા પાછો વળે છે. સાતમા ગુણસ્થાનકે પ્રમાદ રહિત થાય છે. છઠ્ઠા સુધી આત્મા અને પુદ્ગલભાવની રમત ચાલ્યા કરે છે પાંચમે તો ભાવ પરિણમન પામ્યા કરે છે. ક્ષાયિક સમક્તિ ન થાય ત્યાં સુધી આત્મા અગિયારથી ચાર સુધી ચઢ ઉતર કર્યા કરે છે. મતિ શ્રુતજ્ઞાનના સમ્યપણે પાયાને મજબૂત કરવો. એટલે કે શુદ્ધ કરવો. અવધિજ્ઞાન તે અતિન્દ્રિય શક્તિ છે તેમાં શબ્દાદિની જરૂર નથી. સ્વરૂપ અવલોકન ૮૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy