SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાશાસ્ત્રના શ્રવણમાંથી પણ બોધ ગ્રહણ કરે છે અને મિથ્યાત્વી સતુશાસ્ત્રમાંથી પણ મિથ્યાભાવ ગ્રહણ કરે છે. ગૌતમ જેવા પંડિતનું જ્ઞાન મિથ્યા ન હતું. તેમાં મિથ્યામતિનો આરોપ હતો. પ્રભુના સંયોગે તે જ જ્ઞાન સમ્યગુભાવે પરિણમ્યું. શાસ્ત્ર તે જ્ઞાનનું સાધન છે. કષાય તે અજ્ઞાન છે. શાસ્ત્રને ભણનારો જ્ઞાની, અજ્ઞાની કે મિથ્યાત્વી હોય તે પ્રમાણે જ્ઞાનને ગ્રહણ કરે. શ્રુતજ્ઞાનને અનુસરીને વાણીનો ઉપયોગ થાય તો તે અક્ષર શ્રુતજ્ઞાન ગણાય. જ્ઞાન તે સર્વ આત્માનો ગુણ છે. માત્ર શબ્દનું જ્ઞાન તે મિથ્યાશ્રુત છે. ઈદ્રિયના દરેક વિષયમાં વિવેક તે શ્રુતજ્ઞાન છે. અને વિષયની લોલુપતા તે શ્રુત અજ્ઞાન છે. ઓઘદૃષ્ટિ તે સમ્યકત્વ નથી. દેવગુરુમાં શ્રદ્ધા રાખી વિનય સાચવવો તે શ્રત છે. વસ્તુનો નિર્ણય દૃષ્ટિમાં છે. દર્શન શુદ્ધ હોય તો જ્ઞાન ઉપયોગમાં આવે છે. ચારિત્ર ઉદયમાં ન હોય તો ઈલાચી જેવા જીવો અપવાદરૂપે દર્શનના શુદ્ધ ઉપયોગથી અંતરદૃષ્ટિના પૂર્ણ સમ્યગુ યોગથી મુક્તિને પામ્યા છે. ત્યાં ભાવ ચારિત્ર હોય છે. આવાં દૃષ્ટાંત અપવાદરૂપે જ બને છે. ઈદ્રિય વિષયના નિમિત્તથી વૃત્તિઓને ઊઠવા ન દેવી, તેમાંથી કષાયો જન્મે છે. સમકિતી વિષયને વિષયરૂપે ન જોતાં સાક્ષીભાવે જુએ છે. મિથ્યાષ્ટિ કૃતનો ઉપયોગ કરે છે. તેને એવો ભાસ જન્મે છે કે પ્રભુ મને તારશે. પરંતુ અજ્ઞાનરૂપી દોષથી નિવૃત્ત થવાનો પુરુષાર્થ નથી કરતો. સમકિતી જાણે છે મારું અજ્ઞાન નિવૃત્ત થતાં જ્ઞાની પુરુષનો સંયોગ મળે તરવાનું મારાથી થશે જ. પ્રભુદર્શન આદિ ક્રિયામાં આલંબન લે છે પણ હેતુ આત્માર્થનો છે. જ્ઞાની ગુરુમાં શ્રદ્ધા રાખી વર્તે છે. મિથ્યાષ્ટિ ગુરુનો કદાચિત મેળાપ થાય તો સ્વચ્છેદે વર્તે છે. સમકિતી રાગાદિથી નિવૃત્ત થવાનો ઉપદેશ ગ્રહણ કરે છે. પહેલા ગુણસ્થાનકે સમકિત સત્તામાં હોય છે. ચોથે તે પ્રત્યક્ષ થાય છે. પ્રમાદવશ તરતમતા રહે છે. સાધક જીવ વિચારે કે આ ક્ષેત્રે આરાધના કરી મહાવિદેહમાં જાઉં જેથી ત્યાંથી મોક્ષ પ્રાપ્ત થાય. ઉચ્ચ ક્ષેત્રની અપેક્ષાએ અઠ્ઠાવીસ ક્ષેત્રમાંથી જીવ બીજે ગતિ તો કરે છે. માત્ર ચાર જ ક્ષેત્ર સિદ્ધત્વ પામવાને યોગ્ય છે. આત્મા જ પલટો મારે તો ક્ષેત્ર પલટો થવા મોટો સંભવ છે. વિરતિ ૮૦ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy