SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત હોવા છતાં ઉદયમાં મિથ્યાત્વ હોવાથી મિથ્યાશ્રુતને આરાધે છે. કુશ્રુત ઃ શ્રુતઅજ્ઞાન અને મિથ્યાશ્રુતથી પણ કુશ્રુત બળવાન છે. શ્રુતને બળાત્કારે કુશ્રુતમાં ખેંચી જાય છે. દેહને જ આત્મા સમજે છે. ઈંદ્રિયજન્ય જ્ઞાનને જ્ઞાન માને છે. કુશ્રુત સત્ત્નું ભાન જ થવા દેતું નથી. સત્તામાં રહેલા સમકિતને હડસેલી દે છે. કુશ્રુતમાં જનાર જીવ નિહવ છે. અનાદિ મિથ્યાત્વ : આ અનાદિ મિથ્યાત્વ શ્રુતમાં ઈંદ્રિયજન્ય કષાયોમાં અનંતાનુબંધીનો તીવ્ર રસ હોય છે. તેથી ઈંદ્રિયો વિષયરસમાં જ રાચે છે. અને એમ અનંતાનુબંધી કષાયોની પરંપરા ચાલે છે. અત્યંત પુરુષાર્થ વડે જીવ તેમાંથી બહાર નીકળી કંઈક દિશા શોધે છે. વળી કંઈ શુભ નિમિત્ત મળતાં ક્ષયોપશમ સમિકત તરફ વળે છે. ત્યાં પણ ટકી શકાતું નથી. પરંતુ વારંવાર ઊહાપોહ થયા પછી બોધ પ્રગટે છે. આત્મા છે ત્યાં જ્ઞાન ઉપયોગ છે, પરંતુ મન ન હોવાને કારણે એકેન્દ્રિયાદિ જીવો સંજ્ઞા વડે જીવે છે. સંજ્ઞામાં પૂર્વના સંસ્કારનું બળ હોય છે. તેમાં વિકાસબળ અત્યંત ગૌણ છે. તેથી જ્ઞાન અવ્યકત રહે છે. તીર્થંકરાદિની ઉપસ્થિતિમાં વનસ્પતિ પણ સુખ અનુભવે છે. તીર્થંકર વિહરે ત્યારે કાંટા ઊંધા થાય, પત્તા નીચા નમે છે. તે તેમની સંજ્ઞા છે. પંચેન્દ્રિય જીવો જ્ઞાનીના યોગમાં કષાયોનો ઉપશમ કરી શકે છે. આત્યંતિકપણે કષાયોનો ક્ષય કરી શકતા નથી. પરંતુ નિર્જરા કરી ઉચ્ચ ગતિ પામે છે. પરંતુ જ્ઞાનીના વિરહકાળમાં જીવો કુશ્રુતના કારણે એક જ જીવનમાં અસંખ્ય ભવો વધારી દે છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો મન હોવાને કારણે સંજ્ઞી છે. પણ ભાવમન ન હોવાથી અસંશી છે. મનુષ્યને સંજ્ઞીમન હોવા છતાં વિષયકષાયમાં જ રત રહે તો પુદ્ગલસંગી બને છે. સમકિતદશા પ્રાપ્ત થયે આત્માને આત્મકલ્યાણની ભાવના દૃઢ થાય છે. મિથ્યાજ્ઞાનથી દર્શનમોહ ઉપજે છે. પૂજાદિ અનુષ્ઠાનો પણ લોકદૃષ્ટિએ કરે તેથી સંસાર જ વધે છે. શ્રુતનું પરિણામ સમ્યગ્ શ્રુત છે. સમકિતી હેતુ અને વર્તનમાં સમભાવે વર્તે છે. ધની માણસને દાનના અંતરાયના બળે ધનનો સદુપયોગ થઈ શકતો નથી તેમ સમકિતીને જો અંતરાય આવે તો વર્તનમાં તેનો ઉપયોગ ન રહે, સમકિત સત્તામાં પડયું રહે તેવું બને. આગમાદિ શાસ્ત્રનો અભ્યાસ કરવો તે સુશ્રુત છે. સમકિતી સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૭૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy