SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યો? છતાં પૂર્વના બળવાન સંસ્કાર કાર્યકારી થયા અને રાજુલ મુક્તિને માર્ગે ચાલી નીકળ્યા. શ્રાવકે સંસ્કારનો આવો ક્રમ સેવવો જોઈએ. મનુષ્ય ધર્મ કરીને દેવોપાસનામાં પડયો છે, તપાદિ કરીને સ્વર્ગનાં સુખ ઈચ્છે તો તે સંસારનું ભ્રમણ જ છે. માનવદેહ આંટા ખાવા માટે નથી. આંટા ટાળવા માટે છે. આ દેહથી કામ સરવું જોઈએ. કર્મવાદની રીતથી એકેએક પ્રકૃતિ સુધારવી તે શ્રાવકનો ધર્મ છે. આત્માને જે સ્પર્શે તે ધર્મ છે. ઈચ્છાઓ વધે, તે તૃપ્ત ન થાય તેથી દુઃખ લાગે, તેમાં આર્તધ્યાન થાય, પ્રમાદ સેવાય. પણ ઈચ્છાઓનેજ રૂંધે તો તે વધતી અટકી જાય. અનુકૂળપ્રતિકૂળતાના કંઠમાં ન રહેવું. દોષો દૂર કરવા પ્રયત્ન કરીએ અને દોષો દૂર ન થાય એવું ન બને. ઉદયકાળ છે શું કરીએ તેમ નિર્બળ થઈએ તો કર્મ પ્રકૃત્તિ ચઢી બેસે. માટે તેના મૂળને દવા પ્રયત્ન કરો. શ્રુતજ્ઞાન : જેમા શબ્દ-અક્ષર-ભાષા, શાસ્ત્રજ્ઞાન સમાય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વકનું હોય છે. કારણ કે શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિયોની શ્રવણ વિગેરેમાં સહાય છે. શ્રુતજ્ઞાનમાં તીર્થકર ભગવાનનો ઉપદેશ, ગણધરાદિનો ઉપદેશ તથા આગમ આદિ શાસ્ત્રોના અધ્યયયની વિશેષતા છે તેના વિવિધ ભેદો છે. દ્વાદશાંગી આ શ્રુતજ્ઞાનરૂપ છે. આગમાદિ શાસ્ત્રો શ્રુતજ્ઞાનનું અંગ છે. ગણધરોએ રચેલા અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને મુનિશ્વરોના રચેલા અંગબાહ્ય કહેવાય છે. મુખ્યભેદ ૧૪ છે. મતિ શ્રુતજ્ઞાન જોડાયા છે. તેના વિવિધ ભેદ છે. તે જ્ઞાનની તરતમતા છે. સમકિતીજીવનું મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન સમ્યગુજ્ઞાન કહેવાય છે. મિથ્યાષ્ટિનું નવપૂર્વનું જ્ઞાન પણ મિથ્યા ગણાય છે. જ્ઞાન ઉપયોગ જીવનો છે. પરંતુ દૃષ્ટિભેદે તેના સમ્યગુ અને મિથ્યાજ્ઞાન એવા ભેદ પડે છે. સમ્યગુજ્ઞાન આત્મિક ગુણ હોવાથી જીવને મોક્ષસાધક છે અને મિથ્યાજ્ઞાન પરિભ્રમણનો હેતુ છે. જીવને શુદ્ધ સ્વભાવના આશ્રયે જ્ઞાન સમ્યગુપણે પ્રગટે છે. શ્રુત અજ્ઞાન : અધકચરા જ્ઞાનને જ્ઞાન સમજી પ્રવર્તાવવું અથવા તેવું લેખન ઈત્યાદિ કરવાં. જયાં “અ” શબ્દ પ્રયોગ છે તે અલ્પના અર્થમાં કે વિપરીત જ્ઞાન છે. મિથ્યાશ્રુતઃ મિથ્યાજ્ઞાનથી જે ક્રિયા કરો તે મિથ્યાશ્રુત છે. સત્તામાં ૭૮ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only Www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy