SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભ અને શુભ યોગની મતિજ્ઞાન પર છાયા પડે છે. માટે ભાવશુદ્ધિ કરવી. જો ઉપયોગ-ભોગમાં જશે તો પ્રથમથી જ મતિજ્ઞાન ભ્રાંતિરૂપ થશે. માટે પુણ્યને ત્યજીને સંયમમાં જવું. પુણ્યની નિવૃત્ત થયા વગર મુક્તિ નથી. મતિજ્ઞાન શુદ્ધ થયે જ્ઞાનના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એમ બે પ્રકારે છે. પુણ્યાનુબંધી હોય તો ઉત્પન્ન થયે જીવને સંસારની અશરણ, અનિત્ય આદિ ભાવનાઓ દ્વારા ત્યાગ સંયમનો ભાવ થાય છે અને પાપાનુબંધી હોય તો પૂર્વના સંબંધો જોઈને જીવને વેર અને દ્વેષ ઉત્પન્ન થાય છે. તે પ્રકૃતિના સુધારનું સાધન જ્ઞાન છે. મતિશ્રુત પરોક્ષજ્ઞાન છે. તેની શુદ્ધતા ન હોવાથી આપણાં અનુમાનો સત્ય નથી હોતાં અને શાસ્ત્રની શ્રદ્ધા દેઢ થતી નથી. શાસ્ત્રનાં સૂત્રો અને શબ્દોના ઉચ્ચારની શુદ્ધતા જોઈએ. તેના તરફ મોહ ના થવો જોઈએ. દાન શીલ, તપ, ભાવ, પૂજા વગેરેથી ધર્મ થશે કે કેમ તેવી શંકા ન સેવવી. ન માનવદેહ મળવા માત્રથી મોહમાં પડવાનું નથી. આ શરીરથી સાધના કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડે. બાળપણથી જ આ સંસ્કાર મળે તો શીઘ્ર વિકાસ થાય. શરીરની કે બુદ્ધિની કોઈ શક્તિથી મોહિત ના થવું અવધાન જેવી ક્રિયાનો ઉપયોગ બહારના દેખાવમાં ન કરવો. તેના વડે જ્ઞાન-શક્તિ વિકસાવવી. આત્માની અનંત શક્તિ પાસે અવધાન તે તો એક અલ્પ જ્ઞાન છે, કેવળ સ્મૃતિ છે. આ તો મતિ-શ્રુતજ્ઞાનની પરોક્ષ જ્ઞાન શક્તિની અલ્પ ઝાંખી છે. પૂર્ણજ્ઞાન માટે મનઃપર્યવજ્ઞાન પણ અપૂર્ણ છે. પૂર્વના આરાધન વગર બાળપણમાં સંસ્કાર વિકસતા નથી. માટે જીવે કયારેય તો ધર્મસાધન કરવું જ પડશે તો જ તે પૂર્વપૂર્વનું થશે. કેવળ બૌદ્ધિક કે વ્યવહારિક જ્ઞાનથી અજ્ઞાન દૂર થતું નથી. કર્મપ્રકૃતિઓની સમજ, સ્વરૂપની અને પર દ્રવ્યની સમજ તેની હેયતા અને ઉપાદેયતાનું જ્ઞાન-અજ્ઞાન દૂર કરે છે. શ્રાવકને કેવું જ્ઞાન જોઈએ ? નેમ રાજુલે આઠ ભવમાં શું કર્યું હશે ? કેવળ ભોગ ભોગવ્યા હોત તો નવમા ભવે ચારિત્રદશા ઉદયમાં ન આવત. એ આઠ ભવમાં મનુષ્યપણામાં સાધુધર્મ આરાધ્યો હશે. છતાં રાજુલને નેમનાથ પ્રત્યેના રાગમાંથી બહાર નીકળતાં કેટલો સમય સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૭૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy