SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તેનો ભાવ, અર્થ અને હેતુમાં આત્માની એકાગ્ર શક્તિ જોઈએ. તેમાં મતિ અને શ્રુતની શુદ્ધિ આવે તો આ કાળનો જીવ ભાવકેવળી થાય. પૂજયપાદ હેમચંદ્રાચાર્ય આ કાળના કળિકાળ સર્વજ્ઞ એ રીતે કહેવાયા ને? જેમણે પવિત્ર સાધુતાથી આ કાળનાં પરિબળોને ઓળખી ધર્મનું પ્રવર્તન કર્યું. જૈનશાસનને દઢ કર્યું. ઉન્નતિ કરી. મનાદિ યોગો સક્રિય થતાં આત્મપ્રદેશોમાં કંપન થાય, તે ક્રિયા સાથે ઈદ્રિયો, મન અને ભાવમન સર્વે જોડાય. તે સમયની વિભાવદશાથી ભાવ-હિંસા થાય. માટે જે ક્રિયાથી હિંસા થતી હોય ત્યાં અટકવુ. દેહ ધર્મ નિભાવવા હિંસા થવાની પરંતુ ત્યાં ઉપયોગ રાખવો. છતાં જે કંઈ કર્મ થાય તેને માટે પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયાઓ બતાવી. કેવળ નિયમ ખાતર જ કરવાથી કર્મ હળવાં ન થાય. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા વળવું, તે તો ચોવીસ કલાક માટે જ હોય. તેમાં શિથિલતા થવા સંભવ હોવાથી પ્રતિક્રમણ ક્રિયારૂપે પ્રયોજયું. જયાં કર્મની જ ગમ ન હોય ત્યાં પાપથી પાછા કેમ વળવું? એવી ક્રિયા મદદરૂપ પણ કેમ થાય? બાહ્યાચાર શુભભાવે કર્મનો ઉપશમ કરી શકે છે. તેમાં વિવેક અને બોધ હોય તો કર્મનો ક્ષય કેમ ન થાય? કેવળ વિધિ કે નિયમથી તે ન બને, કેવળ ભાવવશ થવાથી પણ ક્રિયા અશુદ્ધ બને. પુરુષાર્થને સિદ્ધ કરવો કેવળ ભાગ્ય પર આધાર રાખી બેસી ન રહેવું. પરંતુ સત્ પુરુષાર્થ કરવો. ગુરુજી પાસે પ્રગટ પ્રાયશ્ચિત્ત લેવામાં મન શુદ્ધ હોવું જોઈએ. કયાં કેવી ભૂલ હતી તે યથાતથ્ય જણાવવી. કેવળ સોહ જેવા ભાવથી નિર્વિચાર દશામાં જવાની હાલ યોગ્યતા નથી માટે શુદ્ધ વિચાર દ્વારા ધર્મધ્યાન સુધી પહોંચવું. ત્યાંથી સાચી જ્ઞાનદશા પ્રગટ થાય. આમ મતિજ્ઞાનના જે ભેદ કહ્યા તે સાધનરૂપે જોયા પછી કાર્ય કારણ પ્રગટ થાય કેવળ શ્રુત શબ્દ પરથી જાણી લેવાની સમજવાની બુદ્ધિ પ્રગટે છે. પરંતુ કારણ દશા કે જેમાંથી કાર્ય નિપજવાનું છે તેમાં અધુરાશ હોય તો મતિજ્ઞાનનો ઉદ્ધાર ન થાય. માટે જયાં જયાં જે સક્રિયા થાય ત્યાં મન અને ઈદ્રિયો દ્વારા મતિ સ્થિર રાખવી, ભાવમનને જોડવું, અભાવ કે અરુચિ ન થવા દેવા. છતાં જો તેવું થાય કે અનાદર થાય તો તેવી ક્રિયા બંધ કરવી અને ફેરફાર કરી પાછા સ્થિર થવું. સ્વરૂપ અવલોકન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy