SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ મનઃ પર્યવજ્ઞાનમાં ક્ષેત્રની મુખ્યતા નથી. મનની અતિ શુદ્ધતા છે. મનના ભાવો જાણી શકે છે. કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થ કે ભાવનું જાણપણું છે. ક્ષાયિકમાં વિષયો દૃષ્ટિગોચર થાય પણ ઉપયોગ પર્યાયરૂપ થતો નથી. દરેક તત્ત્વ આત્મોોપયોગે જ વર્તે છે. દેહ વાસનાથી જીવ દેહની રચના કરે છે : સામાન્ય આત્માએ શબ્દના અર્થને વિચારવા. પદાર્થજન્ય લક્ષણને વિચારવા. લબ્ધિ જેવાં બળોને જાણવાં જેથી આત્મભાવ ટકી રહે. ધર્મનાં અનુષ્ઠાનો પરલોકમાં ફળ આપનારાં છે તેવો ભાવ હશે ત્યાં સુધી તે લબ્ધિ પ્રધાન રહેશે. ઉપયોગનો હેતુ આત્મભાવે કરે તો લબ્ધિ દ્વારા કલ્યાણ થાય. પંચેન્દ્રિયધારી મનુષ્ય જે કાર્ય બે ઘડીમાં કરી શકે તે પુરુષાર્થ નિગોદના જીવો અનંત ભવે પણ ન કરી શકે. તેથી પાયામાં શ્રુતજ્ઞાનની ખૂબ જ જરૂર છે. અનંતદર્શનાદિનું તો એટલું બધું સામર્થ્ય છે કે તેમાં સાંસારિક સુખદુઃખાદિનો ભાવ નથી અને ભય નથી. તેવા ભાવો આવી શકતા જ નથી. કેવળ અખંડ સુખ સમાધિ છે. સૂક્ષ્મ નિગોદના જીવને દ્રવ્ય મન પણ નથી. જીવને જન્મ ધારણ કરવા કર્મોના સંસ્કાર રૂપ તેજસ કાર્યણ શરીર સાથે લઈ જવા પડે છે. ત્યારે જીવ નિયત સ્થળે જન્મ ધારણ કરે છે. સૂક્ષ્મ નિગોદના જીવોની લબ્ધિ (શક્તિ) અપર્યાપ્ત છે. કારણ કે ઈદ્રિયો અને મન ન હોવાથી આત્માની શક્તિને તે જીવો ધારણ કરી શકતા નથી. ત્રણે યોગવાળા જીવની લબ્ધિ-શક્તિ પ્રથમથી જ વિકાસ પામે છે. જેમકે ગર્ભજ, મનુષ્ય, તિર્યંચના જીવો, ઈંદ્રિયાદિનો વિકાસ ઝડપી હોય છે. સૂક્ષ્મ નિગોદના જીવોને ફકત આહાર સંજ્ઞા જ હોય તેથી શરીર બને પણ ઈંદ્રિયો ન બને. એવા સમૂહ શરીરમાં અનંત જીવો હોય સમયે સમયે કે બે ઘડી જીવે અને ત્યાંને ત્યાંજ ઉત્પન્ન થાય. અનાદિ મિથ્યાત્વ અને કુશ્રુતના કારણે આત્માવિકાસ સાધી શકાતો નથી. ઓઘબળે કર્મો ખપતાં સમયે સમયે જ્ઞાનનો અંશમાત્ર વધે. બાદર નિગોદમાં કુશ્રુતની કંઈક સ્પષ્ટતા રહે છે, સમુદાયમાં હોવા છતાં જીવને કંઈક સ્વતંત્રતાનો અંશ શરીરની ઉત્પત્તિમાં રહે છે. તે પછી એકેન્દ્રિયાદિ જીવો અનુક્રમે વિકાસ સાધે છે અને શક્તિ વિકસે છે. ૮૨ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy