SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શિથિલતા આવી. શ્રાવકની અગિયાર પ્રતિજ્ઞાનું એક પછી એકનું પાલન કરી દઢ થવું. મનુષ્ય દુઃસાધ્યને સાધ્ય કરી શકે છે. એ દુઃસાધ્ય રાગ, મોહ ઈત્યાદિ છે. વીર પ્રભુએ ઈદભૂતિ જેવા મહાન વિદ્વાનના માન ગાળ્યા, પણ કલ્યાણભાવથી, પૂજાવા માટે નહિ. આ જ ધર્મની મહાનતા છે. પુણ્યને ત્યજી દેવું તે જૈનપણું છે. ઈદ્રિયો વિષયરસના સુખમાં જાય ત્યાં અટકી જવું, વિષયાંતર થઈ જવું. ક્રિયા છોડી દેવાની નથી. ઉપયોગની સુધારણા કરવાની છે. જિનપૂજામાં ભાવ ન આવે. જિનગુણની ભાવના કરતાં રોમાંચ ન થાય ત્યારે ફરી ફરીને વિચારણા કરવી, મતિ-શ્રુતજ્ઞાનનો અહીં ઉપયોગ કરવો. જીવને જયાં રૂપ, રંગ, સ્પર્શમાં રસ આવે છે ત્યાં રોમાંચ થાય છે, આ મહામિથ્થામતિ છે. તેને મંદ કરવા જ આવી પૂજા વગેરે કહ્યાં છે. ત્યાં કોઈ પ્રકારની મુક્તિ સિવાય યાચના ન હોય. સાધુ અનુક્રમે આચાર્યપદે પહોંચે ત્યારે લોકેષણાનો અંતર-અભિલાષ છોડે. કેવળી ભગવંતોએ પણ પૂર્વે એ કરવું પડ્યું છે, અને જ્ઞાની થયા પછી એક ક્ષણ પણ ઉપયોગ વગર નથી ગાળી, તો આ કાળે આચાર્યોએ કેવો ઉપયોગ રાખવો ઘટે? કેવળ પદના માનથી કામ ન સરે. પૂર્ણ સમય વિચારશીલ, ઉપયોગમય, ઉદાસીન રહી લોકોના કલ્યાણ માટે સમય ગાળે, કેવળ લોકપ્રવાહ ઓઘે ઓઘે આવે વંદન કરે જાય તે માત્ર કલ્યાણરૂપ નથી, લોકદષ્ટિથી અને અંતરથી ભયરહિત જીવન ગાળે. મરણાંત ઉપસર્ગમાં વિરપ્રભુએ શું કર્યું તે ભાવના વિચારે. અને ક્રિયા રહિત (ગુપ્તિ) થઈ અચળ રહે. એવા સાધુ જ અસાધ્યને સાધ્ય કરી શકે. મહાવીર પ્રભુના ચરિત્રમાંથી બોધ ન ઉપજે તો તે જ્ઞાન નથી, જ્ઞાનાભાસ છે. કર્મવર્ગણાને કારણે દેહ બદલા થવાના. આત્મા નટની જેમ ભવોભવ નાચ્યા કરવાનો. જ્ઞાનનું આવરણ ગાઢ હોવાથી સંશોધન થતું નથી. પુણ્યની ક્રિયાને ધર્મક્રિયા માનવાથી ભ્રમ થયો છે. પુણ્યનો પણ ક્ષય કરી અતિ નિર્જરા થાય તો તેનાથી નિવૃત્તિ થતાં, જીવ મુક્તિ તરફ આગળ વધે. પુણ્યમાં અનુકૂળતા લાગે અને પડયો રહે તો અનંતકાળ નીકળી જાય અને શુભયોગ પૂરો થતાં અશુભ જ ઉદય પામે. સંયમમાં તો પૂર્વની આરાધના જ કામ લાગે. તેની કચાશને કારણે બીજાં બંધનો ભોગવવાં ( ૭૩ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy