SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સાત કે આઠ ભવ મનુષ્યના મળે તો સિદ્ધિ થાય જ એમ જ્ઞાનીઓએ કહ્યું છે. અલ્પાયુષીએ આ ભવમાં સંયમ સાધવો, મોક્ષમાર્ગ પામવો, તે તલવારની ધાર પર ચાલવા જેવો માર્ગ છે. સમકિતી હોય તે એકાદ ભવ કરી ઉચ્ચગતિએ જાય. પુષ્ય તો તિર્યંચ શું કીડી જેવા જીવ પણ ભોગવે છે. કીડીઓના સમૂહમાં રાણી હોય છે તે પુણ્ય ભોગવે છે. મનુષ્ય જન્મ એ માત્ર પુણ્ય ભોગવવાનું સ્થાન નથી, પુણ્યનો ક્ષય કરી જ્ઞાન ભોગવવાનું છે. પોતાને જ્ઞાની માની લેવા તે અજ્ઞાન છે. અને અજ્ઞાન દ્વારા બીજાને સુધારવાની આકાંક્ષા રાખી પોતે બંધાય છે, તે અભિનિવેશ છે. જ્ઞાનીનો યોગ મળે પુરુષાર્થ કરે વૃત્તિઓને ફેરવી નાંખે તો આત્મગુણ પ્રગટ થાય. કુમારપાળ પૂર્વ જન્મ લૂંટારા હતા. હિંસક હતા. જ્ઞાનીના યોગથી દયાનો પાયો મૂળમાં જ પડયો. તે ભાવના એવી વિકસી કે માર શબ્દ પણ ન બોલતા, પૂજા કાજે ફૂલને પણ તોડતા નહિ, સહજભાવે નીચે પડેલા ફૂલો શુદ્ધ કરી ઉપયોગમાં લેતા. ટૂંકમાં ઉપયોગમય જીવન બની રહ્યું. ફૂલોથી પૂજા કરીએ અને જો દયાભાવ ન હોય તો તેમના ભોગે પુણ્ય ના મળે. ત્યાગથી દયા પ્રગટે. આજના જડવાદે વિજ્ઞાન દ્વારા શું શોધ્યું? વિજ્ઞાનથી ભૌતિક લાભ થયા પણ સાથે વિનાશ આદર્યો. હિંસા ચારેબાજુ વધી પડી. આજની કેવળણી તેની માહિતી છે. જ્ઞાન નથી તેથી તેમાંથી સંસ્કાર શું મળે? અસલ પણ તેજોવેશ્યા જેવી શક્તિ હતી મારણ હતું, વારણ પણ હતું. ધર્મસંકટ સમયે ઉપયોગ હતો, તોય પ્રાયશ્ચિત લેવું પડતું. આજે તો બીજાના મૃત્યુના ભોગે સમૂહનાં સમૂહ સુખ ઈચ્છે છે. આ કેવળ જડવાદ છે. મનુષ્યજન્મ પામીને મનુષ્યતા પામવાની છે. અને મુક્ત થઈ કલ્યાણ માર્ગ ચીંધવાનો છે. એટલા માટે જયવીરાય જેવા સૂત્રમાં પ્રભુની ભક્તિ માંગી છે. ભયથી કે દુઃખથી પાછો ન વળે પણ પોતાના કર્મઉદયને ભોગવી લે તેવું સાહસ તે જિનકલ્પ છે. આજે તેવાં દેહ બંધારણ નથી. પણ આદર્શ તો તે જ રાખવો. આજે પણ દિગંબરી સાધુઓ અસહ્ય આતાપના સહે છે ને ! સંન્યાસીઓ હિમાળે જઈ હાડ ગળી જાય તોય અડગપણે સાધના કરે છે. જૈનકુળે જન્મીને એક શ્રાવકપણે પાળી ન શકાય? શ્રાવકદશાની ભૂમિકા ન થાય અને સાધુપણું ગ્રહણ કરે તેથી સાધુસમાજમાં સ્વરૂપ અવલોકન ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy