SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પામ્યા તે આપણા માટે પ્રમાણ છે. વળી પરમ કરુણાએ તેઓ માર્ગ ખુલ્લો મૂકતા ગયા છે. તેમને આરાધવાથી તેમના જેવા થવાય. સમકિતી જ્ઞાનીનો સંગ છોડે નહિ, શંકાશીલને જ્ઞાનીમાં આદર ન આવે, એટલે જ્ઞાની મળવા છતાં રોકાઈ જાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવે જેટલું શકય છે તેટલું સેવે, શુકલધ્યાન, ધ્યેય નિર્ણયરૂપે રાખી ધર્મધ્યાન સુધી પહોંચે. જો તેવો પુરુષાર્થ ન કરે તો ધર્મધ્યાનની દશા જતી રહે અને આર્તધ્યાનમાં જીવ ચાલ્યો જાય. આનંદઘનજીએ કહ્યું છે કે કાળને લઈને અનવસ્થિત છું. શક્તિ પ્રકટ કરવા સાધુદશાની પૂર્ણ સાધના કરું છું. કાળલબ્ધિને આશરે પંથે પડ્યો છું. આવા નરો જીવતા જાગતા છે. મોક્ષાર્થી એમ ના કહે કે આજે સંસારના રસ ચાખી લઉં કાલે સંયમ પાળીશ. સંયમ માટે તૈયાર થનારે પ્રારંભ જ સંયમથી કરવો પડે. ત્રણ યોગોનો સંક્ષેપ કરે, અને આત્મસ્થિરતા કેળવે. ગૃહસ્થદશામાં માર્ગાનુસારીપણાના ગુણ પ્રથમ જોઈએ. પછી સમક્તિની યોગ્યતા મેળવે. ભોગોને અને તેનાં સાધનોને ત્યાગમાં લઈ જાય. પૂર્વ પ્રારબ્ધ ભોગવવા છતાં આત્મબળ વધારે. અનંતભવોથી કરેલાં ક સમય માંગે. પણ ઉત્તરોઉત્તર ગુણ કેળવવાથી લક્ષ્મ દેઢ રહે. - શારીરિક સુખમાં રાચે, પણ રોગ સમયે કોઈ બચાવી શકતું નથી સંયમનું સુખ અનુભવનાર જાણે. શાસ્ત્ર ઈશારો કરે ઉપાદાન પોતાનું જોઈએ. વીરશાસન શાશ્વતું છે. તેનો આધાર લેવાથી ભવપંથ ટૂંકો થાય. માનવદેહનું મૂલ્ય : વનસ્પતિ આદિમાં જીવ નથી તેવી માન્યતાથી હિંસા વધી પડી છે. જેમ જીવો સુકોમળ અને સૂક્ષ્મ તેમ તેઓ અલ્પજીવી હોય છે. તેઓ અરસપરસની અથડામણ સહી ન શકે. અનેકવાર ત્યાંજ ઉત્પન્ન થાય અને ત્યાં જ મરે. એવા જીવોની ઉત્પત્તિ નરી નજરે જોઈ શકાતી નથી. આથી સાધુ મહારાજોએ પાત્રને રંગવા માંડયા. રંગને કારણે જીવોત્યત્તિ અટકે છે. અસલ તો જંગલમાં વિચરતા. આહાર સમયે વસ્તીમાં આવતા વિકૃત પદાર્થો ગ્રહણ ન કરતાં. કરપાત્ર કે કાચલી જેવું પાત્ર રાખતા જેમાં કશી વિકૃત્તિ ન થતી, દેશ કાળને અનુસરીને ઘણા ફેરફાર થયા. તે કાળે સંયમ માટે આવી પ્રક્રિયા હતી. અનંત જીવોમાંથી મનુષ્યપણું અલ્પ સંખ્યામાં હોય છે. જો સતત ૭૧ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy