SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એવો વિવેક થયો હોય તો જ રોગશધ્યામાં આવો વિવેક જન્મ. આર્તધ્યાન જ કર્યું હોય તો રોગશધ્યામાં અશાતાનો ઉદય વધી પડે. વિવેકીને રોગશચ્યા યોગશય્યા બને, નહિ તો રોગ મટે તો ય તેનું સંભારણું રાખી મિત્રો પાસે સંભાષણ કરે તો તેમાં દુઃખની જ ઉદિરણા થાય, તેને બદલે શરીરનો પુગલ સ્વભાવ સમજી લે કે શરીરને કોણ સાચવી શક્યું છે? વધુ સંયમ ન રહે તો પણ નિત્યનિયમાદિ સાચવે અને દઢ રહે તો રોગનું જોર શમે. નિયમની શ્રદ્ધા જ સમતા આપે. ગુણીજનને તો સંસાર ગુણરૂપ થઈ પડે. આ હકીકત વિષયની આસક્તિ ઓછો હોય તેને સમજાય. સ્વાધીન કિયા ન કરે તે ઉદયકાળે અકળાય. હાલ મોક્ષ જોય છે, સંસાર હેય છે એટલો નિર્ણય કરવો. વિચારની ધારા વિચારમાં રહે તો તત્ત્વ સંગત થાય. કાયોત્સર્ગમાં વિચારધારાથી પ્રસન્નચંદ રાજર્ષિ નરક, સ્વર્ગ બંનેનું ક્ષણિક ઉપાર્જન કરી અને શુદ્ધધારાએ મુક્તિ પામ્યા. એક એક તત્ત્વના વિષયને ગ્રહી વિચારને પૂર્ણ કરવા. વિચારધારા તૂટે ત્યારે તરંગ થાય. પુરુષાર્થથી વિચારધારાને ટકાવવી માત્ર શબ્દ ગ્રહણ થાય તો તે પુદ્ગલ હોવાથી પદ્ગલિક આનંદ જ આવે. માણસને અદ્ભુત વિચાર-શક્તિ મળી છે. તેનો સક્ષયોગ કરવો. માણસ પોતાના ઘરમાં સહજપણે રહે પણ અન્ય સ્થળે વિવેકથી વર્તે, અજાણ્યા સ્થળે સાવધ થઈને રહે તેમ આત્માર્થીએ બહાર ઉપયોગ લઈ જવા વિવેક આણવો અને સાવધ થઈને રહેવું. નાના સરખા દોષનો પણ પસ્તાવો કરી શુદ્ધ થવું. મુખમાંથી શબ્દને બહાર કાઢતાં વિવેક રાખવો. શબ્દ મંત્રરૂપે શક્તિ છે. એટલે તો મંત્રજપ કરી આત્મા સ્થિરતા પ્રાપ્ત કરે છે. મંત્રજપથી પુદ્ગલકર્મ ખરી જવા માંડે છે. એક શબ્દમાં મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનનું રહસ્ય સમજાય, તે જ્ઞાન શબ્દથી વહન થાય છે, છતાં અનુભવ જ્ઞાન શબ્દથી કહી શકાતું નથી. મતિ-શ્રુતજ્ઞાનના સમજવાથી કાર્ય સિદ્ધ થતું નથી. ક્ષાયિક જ્ઞાન ન હોય તો કયારેક અજ્ઞાનમાં પરિણમે. અને એ અજ્ઞાન ચૌદ લોકમાં ભમાવે. ક્ષાયિકજ્ઞાન એક રાજલોકમાં ભમાવી છૂટકારો કરે. અનાદિથી જીવ મિથ્યાત્વથી ઘેરાયેલો છે. અરિહંત જેવા મહાસામર્થ્યશીલ આત્માઓએ પૂર્વે અનંત ભ્રમણ કરેલું છે. છતાં પરમપદને સ્વરૂપ અવલોકન ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy