SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી રીતે કરીશું? પૂર્વ સંચિત પર તો બધો આધાર છે, તે નિકાચિત હશે તો ફેરવી નહીં શકાય પણ ઉપશમ થઈ શકશે. આત્માની અનંત શક્તિ હોવા છતાં તે ઢંકાઈ જાય. તેથી ઉપયોગને જ જાગૃત રાખવો. હતાશ ન થતાં પુરુષાર્થ થવું. મોક્ષનો જ હેતુ લક્ષમાં રાખી સર્વ ક્રિયા કરવી. હેય, ઉપાદેય જોયની રીતે વર્તવું. જૈન માર્ગની આ પદ્ધતિ અઘરી છે પણ તેનું ફળ મુક્તિ છે. મહેનતની કિંમત નથી. શુદ્ધિ અને સ્થિરતા સાચાં સાધનો છે. કદાચ થોડા ભવ થાય તો પણ તે સ્વ-પર કલ્યાણ અર્થે થાય. પ્રારંભમાં સ્વદયા ચિંતવે અને અજ્ઞાનથી મુક્ત થવા પુરુષાર્થ કરે. ચેતનાની ગતિ એવી ઝડપી છે કે વિવેક વિનાનો ઉપયોગ જ્ઞાનાભાસ ઊભો કરે છે. પર્યુષણ જેવા પર્વ ધર્મ વિષયક હોવા છતાં પક્ષવાદથી ભ્રમમાં પાડે, અનેક કષાયો ઊભા કરે. અને શોધન કાર્યના પર્વે સ્પર્ધામય બને છે. વર્ષોતે પર્વમાં વર્ષમાં બાકી રહેલું આત્માર્થનું લહેણું પૂરું કરવાનું છે. તેને બદલે જો વિરાધના થાય તો શોધન કાર્યનાં પર્વો ઉત્તેજના લાવે, કષાય મંદ ન થાય. જેન એટલે સમકિતી, તે શું પર્વમાં વિરાધના કરે ? જ્ઞાનીના સમાગમે વિવેકજ્ઞાન પામી પછી આલંબન ગૌણ કરી આત્માનું આલંબન ગ્રહણ કરે. પર્યુષણ પર્વના આઠ દિવસ વિશેષ ઉપયોગ રાખવો, અને પછી ગૌણ Wવો કે અનુપયોગે રહેવું તેમ જ્ઞાની કે શાસ્ત્રો હેતાં નથી. પરંતુ જયાં જયાં, જયારે જયારે અજ્ઞાનદશા થઈ હોય ત્યાં ત્યાં, ત્યારે ત્યારે તેનું શુદ્ધીકરણ ક્રવું. જેટલી જેટલી સુધારણા તેટલી તેટલી પ્રગતિ. તેમ ક્રીને ક્રમે ક્રમે આત્મા ઉચ્ચભાવી બને. પર્વમાં જ આરાધના થાય તેવી માન્યતા રહી તો નિત્યબંધથી કોણ મૂકાવશે ? પર્વમાં વિશેષ દઢતા રાખવી અને નિત્ય નિયમને ક્ષતિ વગર ગૌણ ક્રી દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્કૃષ્ટતાએ સાધના દ્રવી મનુષ્યજીવનમાં ક્રવા જેવું કર્તવ્ય આ જન્મ નહિ થાય તો ક્યારે થશે? સંસ્કાર જયાંથી પ્રબળ ક્રીએ ત્યાંથી આગળ ચાલે. વિવેક અને સમભાવથી ઉપયોગનો યથાતથ્ય વિકાસ થાય. માણસ રોગશધ્યામાં પડે ત્યારે વિવેક કરે કે આજે સર્વ આરંભથી છૂટવાની વેળા મળી છે. અને શુભ ચિંતન કરે તો શાતાવેદનીય રહે. પણ અનુકૂળતામાં સ્વરૂપ અવલોકન ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy