SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આથી દરેક ઈંદ્રિય વિષયના અંશે અંશને શુદ્ધ કરવા. બાહ્યવ્રતથી આરાધન થાય પણ શમન ન થવાથી તે તરફનો ભાવ છૂટે નહિ. શુભયોગથી એવા દેવલોકમાં જાય કે ત્યાં આસક્તિમાં જીવે અને આર્ત રૌદ્રધ્યાન ત્યાં ય ન છૂટે. જયાં સુધી શરીરસંબંધી વિષયોનો ભાવ છે ત્યાં સુધી મન વિષયો ખેંચી લાવશે. ત્યાં જ સ્વરૂપને અંતરાય ઊભો થાય છે. દુઃખ આવે સ્વજન જેવાના વિયોગે ધર્મ સાંભરે તે ક્ષણિક ભાવ છે. જો મતિજ્ઞાન ઉદયમાં હોય તો તેવા સમયે એવું ભાન રહે કે તે જીવ ગયો તેમ આ જીવનું પણ મૃત્યુ નિશ્ચિત છે. ગત આત્મા પ્રત્યક્ષ નથી તેથી તેનું દુઃખ છે. બાહ્ય સંબંધ છૂટયા છે. પણ ઋણાનુબંધ તો સત્તામાં રહે છે. આથી એવો ભાવ રાખવો કે સૌ આત્મા સંસાર બંધનથી છૂટે. અને જયારે સંયોગ થાય ત્યારે સમભાવે સંસારથી તરવાની ભાવના રાખે. મિથ્યાશ્રુતને કારણે જીવો પાછા દેહસંબંધમાં પડી સંસારને વધારે છે. સમકિતીને મતિ શ્રુતજ્ઞાનની દૃઢતા અજ્ઞાનની અસરને તોડે છે. આત્મા સ્પષ્ટપણે સમજાય છે. ઉત્તેજના, ચિંતા વગે૨ે અજ્ઞાનજન્ય છે તેવું ભાન રહે છે. યુદ્ધ રાજાને જીતવાનું હોય છે પણ પૂર્વના ઋણાનુબંધે બધાના સંયોગ એકત્ર થાય છે. સમુદાય કર્મને કારણે પ્યાદા, લશ્કરો અંદર અંદર મારુ મારુ, મારો મારો કરીને લડી મરે છે અને સમુદાય કર્મ બાંધી પાછા એવા જ સમુદાયમાં મૃત્યુ પામે છે. માટે સમૂહમાં ઉત્તેજક ક્રિયાનો વિરામ કરવો. ગૃહસ્થીને કે સાધુને પ્રતિક્રમણ જેવી ક્રિયાઓમાં આવી ઉત્તેજના ટાળવા કહી છે. પહેલાં સામાયિક લઈ સમભાવ ધારણ કરવાનું પણ એટલા માટે જ કહ્યું. તે પછી અને રાત્રીના અને દિવસના થયેલા દોષોની આલોચના (પ્રતિક્રમણ) કરી પૂર્ણ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. જેથી ફરી ફરીને તે વિષયોની કે ક્રોધાદિભાવોની ઉત્તેજના ન રહે. અને કર્મનો ભાર હળવો થાય. આત્મા અનંત જ્ઞાનનો ધારક હોવા છતાં કર્મદળના ભારથી દટાઈ ગયો છે. તે માટે મતિ શ્રુતજ્ઞાનથી ક્રમિક આરાધન કરવું. કર્મના ઉદયકાળે તત્ક્ષણ વિષમતા આવે છે. તેથી વેગને શાંત કરવો. તપનો અહીં ઉપયોગ છે. બાહ્યતપ દ્રવ્યનિર્જરા સુધી લઈ જાય છે. તપ દ્વારા વૃત્તિ ક્ષીણ થતી જાય તો રસો સૂકાઈ જાય. તપરૂપી અગ્નિમાં કર્મો બળી જાય છે. આમ ભાવ નિર્જરા સુધી જવાય છે. તપ એ તો નિજગુણનું ધન સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy