SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મન ખૂબ ચંચળ છે. મન બહાર હોય અને અંતરમાં આત્મજ્ઞાન કવચિત હોઈ શકે. સુખ દુઃખની ભાવના સંયોગ વિયોગને આધારિત છે. તેમાંથી આર્ત અને રૌદ્રધ્યાન થાય. ભોગપભોગનાં સાધનોમાં સુખ લાગે છે. શાસ્ત્રમાં શ્રુતજ્ઞાનનો આધાર લઈ સાચા સુખનાં કારણો જાણવાં અને મુમુક્ષુ દશા કેળવવી. આર્તધ્યાન તે પદાર્થો મેળવવાની, સુખ સાધનો ભેગાં કરવાની વાસનાઓ છે. તે માનસિક પરતંત્રતા છે. તે જ્ઞાન દ્વારા ટાળી શકાય. પ્રથમ આહાર વિષયને લઈ રસનાનો સંયમ સમજી લીધો. તે પછી સ્પર્શેન્દ્રિયને સમજી લેવી તેથી અનુક્રમે તેની વાસના મંદતા પામે. પુદ્ગલ પદાર્થોને વ્યાપારી જેવા સમજવા. વ્યાપારી જેમ ગ્રાહકને માલ બતાવે ગ્રાહકને ગ્રહણ કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. તેવી રીતે વિષયો સામે આવે છતાં તેના સુખભોગની વાસના જીવ ગ્રહણ ન કરે. તો બંધાય નહિ. તીર્થકરોએ ક્રિયાથી ક્રિયાનો છેદ કર્યો. ક્રિયાને શૂન્ય કરી. પુદ્ગલો પુદ્ગલોને અસરથી સંઘર્ષ કરે ત્યારે ક્રિયા નકામી બને છે પણ તેમાં જીવને રસ પડે તો બંધન થાય છે. જ્ઞાની અંતર્મુહુર્તમાં અનંત કર્મોનો ઘાત કરે અને અજ્ઞાની એટલા સમયમાં અનંત કર્મોથી બંધાય છે. સ્પર્શેન્દ્રિય રસનાની જેમ બળવાન છે. સ્પર્શ સુખ ભોગવવા લાયક છે. તેનું ભાન જવું જોઈએ. સ્પર્શની અસર થવી તે જ અબ્રહ્મ છે. વળી જીવ સ્પર્શેન્દ્રિય રહિત ક્યારેય હોતો નથી તેથી સ્પર્શમુખની ઈચ્છા અનાદિની છે. વિષયની સ્મૃતિ, તેનો ભાવ, તેની આતાપના, સર્વ અબ્રહ્મ છે. તેથી સ્ત્રી બેસે તે જગા પર પુરુષને કે પુરુષ બેસે તે જગા પર સ્ત્રીને બેસવા માટે ૪૮ મિનિટનો સમયાંતર કહ્યો છે, જેથી પુગલ પરમાણુની અસર ન થાય. બ્રહ્મચર્યમાં આવા વ્રતનો સમાવેશ કર્યો છે તેમાં સૂક્ષ્મ વિજ્ઞાન છે. ઉપવાસાદિક તપનાં પણ ક્રમિક અનુષ્ઠાન ન કરે અને રસની લાલસા ઉદિપ્ત રહે તો આઠ દસ ઉપવાસને અંતે પણ લાલસા છોડી ન શકે અને ઉપવાસના દિવસોમાં આહારની સ્મૃતિ સતાવે. આમ અનાહારક સ્વભાવની દશા વિકાસ પામતી નથી. મતિ અને શ્રુતજ્ઞાન ઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સાથે જ હોય છે. સ્વરૂપ અવલોકન 8? international Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy