SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ થાય ત્યારે આ બરફનો જ સ્પર્શ છે તેવી ધારણા રહે છે. તે જ રીતે સુખ અને દુઃખનું ભાન થાય છે ત્યારે પ્રિય અને અપ્રિયતાનો ખ્યાલ આવે છે. તેમાંથી કષાયો ઉત્પન્ન થાય છે. તેમાંથી અંતરાય બંધાય છે. સુખ દુઃખની ભ્રાંતિ આ રીતે મોહનીય કર્મ સુધી લઈ જાય છે. અને ઘાતી અઘાતી કર્મો તેની સત્તા જમાવે છે. પૌદ્ગલિક સુખનો અનુભવ થતાં ફરી તે મેળવવાનો નિર્ણય થાય છે અને તેવું સુખ ફરી મળે ત્યારે આ આમ જ છે તેવી ધારણા થાય છે. પણ જો પુદ્ગલનો સ્વભાવ વિનાશી છે તે સમજાય તો તેના સુખ દુઃખના સંયોગમાં ભાન રહે કે આ તો પૂર્વ કર્મનો ઉદય અને પુદ્ગલનો સ્વભાવ છે પછી તો દરેક પ્રસંગે તેની ધારણા પાકી થતી રહે કે આ પુદ્ગલ તો વિનાશી છે. અને આત્માનું સ્વરૂપ જ અવિનાશી છે. આથી પર્યાય આધારિત સુખને છોડીને જીવ ગુણ વૃદ્ધિના સુખની ઈચ્છા રાખશે. શારીરિક સુખ પછી દુઃખ આવે જ છે. અધ્યવસાય પ્રમાણે કષાય બંધ થાય માટે શારીરિક ઈચ્છાઓને શાંત કરવી. પ્રતિકૂળતા સહન કરવી. જેથી સાચા સુખનો નિશ્ચય થઈ શકે. શરીરધર્મને નિભાવવા ઓછી હિંસાથી ઉપયોગપૂર્વક જીવન ચલાવવું. શરીરધર્મથી માંડીને જિનપૂજા જેવી ધાર્મિક ક્રિયામાં પણ ઉપયોગ રાખવો. તીર્થંકરદેવોના સમવસરણમાં દેવકૃત અને માનવકૃત ફૂલ વગેરેની સજાવટ હોય છે. પરંતુ પરમ અહિંસક પ્રભુના પ્રભાવથી સર્વ જીવો સુખ અનુભવે છે. ત્યાં સૌનાં વેર શમી જાય છે. સુગંધિત વાયુ, પવનની શીતળતા વગેરે બાહ્ય વાતાવરણ મધુર હોય છે. તેની સૌ જીવોને અસર થતી હોય છે. એવા પ્રભુના પૂજનાદિમાં જો અહિંસાનો ઉત્કૃષ્ટ ભાવ કે શુદ્ઘ ઉપયોગ ન હોય તો બીજા જીવો દુભાય છે. ઉત્તમ જીવોને પુણ્યાનુબંધી પુણ્યો અને પુણ્યાનુબંધી પાપ વિરલ જીવોને હોય છે. મોટાભાગના જીવો પાપાનુબંધી પાપથી પીડાય છે. તેમાંથી નીકળે તો પાપનુબંધી પુણ્ય (જેમકે અન્યાયથી મેળવેલા ધનથી દાનાદિ કરે) સુધી પહોંચે. પ્રશમભાવે, સંયમથી સત્ સાધનથી પુણ્યાનુબંધી પુણ્ય વિરલ જીવો મેળવે છે અને ભોગવે છે. સંયમમાં સુખ છે તેનો દુઃખથી વિભાવ ન કરવો. પ્રત્યેક ઈંદ્રિયોનું શોધન કરવું. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૬૧ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy