SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી રહે તો પણ શુભયોગ મળે જ. જેથી પરમાર્થની સામગ્રી મળે. સમકિતી જગતના અભિપ્રાયને ન સાંભળે પણ સ્વરૂપ રમણતામાં રહે. ક્ષયોપશમભાવથી આરાધના કરે તો દેશ કાળ પ્રમાણે માર્ગ કાપી શકે. માટે માર્ગ ટૂંકો કરવો તેનો પુરુષાર્થ યોજવો. આંખથી જે કંઈ દર્શન કરો તે સત્યને આધારે કરો. બાહ્યથી બાહ્યને અને અંતરથી અંતરને સને આધારે જોવું. ક્ષયોપથમિક સમકિતી જીવ પણ કષાયને વશ થઈ માર્ગ ચૂકી જાય છે. માટે જ્ઞાનીના યોગે ધર્મમાર્ગ પામવો. મતિજ્ઞાનના પ્રકારો : અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા મતિજ્ઞાનના પ્રકારો છે. મન અને ઈદ્રિયોથી આ જ્ઞાન થાય છે. અર્થાવગ્રહઃ પદાર્થના અવ્યકતજ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. તે સમય કાલીન છે. ઈહા: જાણેલા પદાર્થની વિચારણાને ઈહા કહે છે. તેનો અંતર્મુહૂર્ત કાલ છે. અપાય : જાણેલા પદાર્થની વિચારણા પછી આજ પદાર્થ છે તેવો નિશ્ચય થવો તે. ધારણા : પદાર્થ વિષે નિશ્ચય થયા પછી વિસ્મરણ ન થાય તે ધારણા છે. તે દીર્ઘકાલિક છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનનો પ્રકાર છે. આમ અર્થાવગ્રહ આદિને મન અને પાંચ ઈદ્રિયો એમ મળીને છ થી ગુણતાં ચોવીસભેદ થયા તેમાં ચાર ઉમેરતા કુલ ૨૮ ભેદે મતિજ્ઞાન કહ્યું છે. તેના એકવિધ બહુવિધ આદિએ જોતાં ઘણા ભેદ છે. તે શાસ્ત્રથી જાણવા. મતિજ્ઞાનના બીજા ચાર ભેદ આ પ્રમાણે છે. • ઔત્પાતિકી બુદ્ધિ - પૂર્વના કારણે એકાએક પ્રગટે છે. વનયિકી બુદ્ધિ - ગુરુની સેવાથી પ્રાપ્ત થાય છે. કાર્મિકી બુદ્ધિ - અભ્યાસથી પ્રાપ્ત થાય છે. • પરિણામીકી બુદ્ધિ - અનુભવથી પ્રાપ્ત થાય છે. દરેક જીવની મન અને ઈદ્રિયોની શક્તિમાં ભિન્નતા હોય છે. દરેક ઈન્દ્રિયને વિષયનું જ્ઞાન વ્યવસ્થિત હોય છે તેમાં સમયનો ક્રમ હોય છે. જેમકે ત્વચાને બરફનો સ્પર્શ થતાં તરત જ તેનું ભાન થાય છે. ઠંડકના અનુભવે નિર્ણય થાય છે કે બરફનો સ્પર્શ છે. પછી જયારે જયારે તેવો ૬૦ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy