SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનોમાં આસક્ત થઈ જવાય, અને તેનું જ્ઞાન તે કુમતિ કે મતિઅજ્ઞાન છે. પૌદ્ગલિક સંબંધોને ત્યાગવા, પૂર્વ પ્રારબ્ધને આસક્તિ રહિત પૂરું કરવું, અને આત્માર્થે ઉપયોગ રાખવો તે જ્ઞાન છે. અજ્ઞાન એ બંધનનું દ્વાર છે. પુણ્ય અપેક્ષાએ હેય હોવા છતાં તેનાથી શુદ્ધ લક્ષ્ય તરફ સહેલાઈથી જવાય છે. તેથી કથંચિત ઉપાદેય છે. તો પણ કર્મ ખપાવવા માટે પુણ્ય પણ જ્ઞાનીઓએ ત્યાજ્ય ગણ્યું છે. એકેન્દ્રિયાદિ જીવોને પૂર્વની સંજ્ઞાથી આહારાદિ હોય છે. જીવને કષાય અને મિથ્યાત્વનો સંબંધ અનાદિથી છે. જાતિસ્મરણ જેવા જ્ઞાનથી મતિજ્ઞાન નિર્મળ થાય છે. તેથી વ્રત પત્યાખ્યાનાદિનો ઉદય થાય છે. પણ ચૌરિન્દ્રિયાદિ જીવો શું કરી શકે? દીર્ઘકાળની સ્મૃતિ પૂર્વધર કે શ્રુતધરને હોય છે. તિર્યંચોને તેવી સ્મૃતિ ન હોય કે જ્ઞાનનો બોધ ન હોય છતાં અપવાદરૂપે તીર્થકર પ્રભુના યોગમાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તિર્યંચ પંચેન્દ્રિય હોવા છતાં પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. મન સાથે જ્ઞાનનો સંબંધ છે. દ્વ્યમન કરતાં ભાવમન વધુ સૂક્ષ્મ છે. ઈદ્રિયો દ્વારા પદાર્થનું ભાન મનને થાય છે. તેથી દરેક પદાર્થનું જ્ઞાન સમ્યક પ્રકારે થવું જોઈએ તો નિર્મળતા પ્રગટે. મતિજ્ઞાનથી પદાર્થનું જ્ઞાન થાય અને શ્રુતજ્ઞાનથી વિવેક જ્ઞાન થાય. તે પછી આહાર, વિહાર, આચાર સર્વ ક્રિયા વિવેકથી થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મંદ થાય. જગતના પદાર્થો મેળવવાની આકાંક્ષા ઘટે. સમજ વગરની ધાર્મિક ક્રિયાથી નિર્જરા થતી નથી. પદાર્થ-દર્શનથી તેના ભોગની ઈચ્છા જાગે તો સમયભાવ ન રહે. એકવાર સમક્તિની સ્પર્શના થાય પછી સર્વ ક્રિયામાં પ્રેરણા મળે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તે મિથ્યાત્વનાં પ્રેરક બળો છે. સમક્તિ અશુભ ધ્યાનની ચોકી કરીને તેને પ્રવેશ આપતાં રોકે છે. મહાવીર પ્રભુના પૂર્વભવોનું શ્રવણ-મનન કરવું. યોગ્યતા પ્રાપ્ત કરવા જીવ કેટલી અથડામણ જીવ અનુભવે છે. એક નાનામાં નાનો દોષ આત્મગુણને અવરોધ કરે તો ત્યાંથી પાછા વળો. જીવ-માત્રનો સમક્તિ ગ્રહણ કર્યા વગર છૂટકો નથી. એક જીવન તેમાં ખર્ચાઈ જાય તેવો નિર્ણય કરે તો અનંતભવ ભ્રમણ ટળે. કર્મબંધનની શિથિલતા થાય પછી ભવભ્રમણ સ્વરૂપ અવલોકન Jain Education International પ૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy