SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થને જાણવાનો ઉપયોગ રહે છે, તે સૂક્ષ્મ ક્રિયા છે. સામાન્ય રીતે બુદ્ધિનાં મર્મસ્થાન હૃદય અને મગજ કહેવાય છે. આ બે જો કામ કરતાં અટકે તો આખું શરીરનું યંત્ર ખોટકાઈ જાય છે. કે નાશ પામે છે. હૃદય એ લોહીનું ભ્રમણ-સંચાલન કરનાર છે. તેની ગતિમાં શ્વાસોશ્વાસની જરૂર પડે છે. દેહ સાથે પૃથ્વી આદિ સૂક્ષ્મ તત્ત્વો ભળેલાં હોય છે. જીવ જો કષાયોથી આવરિત હોય છે તો આ તત્ત્વો વિકૃતરૂપે ગ્રહણ થાય છે. આથી સૂક્ષ્મ ક્રિયામાં પણ જ્ઞાનના ઉપયોગનો જ આધાર છે. કષાયના તીવ્ર વેગથી ક્રોધાદિ થાય છે. અને આત્માના ક્ષમાદિ ગુણોને આવરણ થાય છે, તેથી જ્ઞાનની વક્રતા થાય છે. કોમળ પરિણામ હોય તો અહિંસાદિના કારણે કર્તવ્ય-પરાયણતા રહે છે. માન જેવા દોષની સામે માર્દવ ગુણ વિકસાવવો જેથી મનની વક્રદશાને કારણે થતું અજ્ઞાનનું આવરણ મંદ પડે. એકવાર કષાયોએ મન પર કબજો જમાવ્યો કે પછી હાસ્યાદિ નોકષાય (કષાય જેવા અન્ય) પણ તેને મદદ કરે છે. ક્રોધથી થતો ફેરફાર જણાય છે પણ માયાની પ્રકૃતિ પ્રગટ નથી થતી તેથી તે વધુ આવરણ કરે છે. તેને માટે સરળતાનો ગુણ જોઈએ. લોભને દૂર કરવા સંતોષ જોઈએ. પોતાનો કરી શકાય તેવો જગતમાં કયો પદાર્થ છે? નિકટવર્તી દેહ પોતાનો નથી તેનું ભાન થાય તો સમજાય કે સર્વ પદાર્થો પરાયા છે. તે મેળવવા માયા કે લોભ શા માટે ? મળેલા દેહધર્મને સવ્યવહારથી નભાવવો તે માનવનું કર્તવ્ય છે. ક્રોધથી ઉગ્રતા આવે, માન-અભિમાનથી ઉગ્રતા આવે, માયાથી વક્રતા આવે, લોભથી દૃષ્ટિ સંકુચિત થાય. આમ પરિણામે આત્મગુણને પ્રગટવાનું સામાÁ રહેતું નથી અને મોહનીયકર્મની પ્રબળતા વધી જતાં જીવને અનંત ભ્રમણ કરવાનું થાય, તે પહેલાં મતિઅજ્ઞાનને જાણી લઈ ઉપયોગથી જીવન જીવવું. વસ્તુના સ્વરૂપને સાચી રીતે જાણી લેવું. મતિજ્ઞાનથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ન થાય પણ તેનાથી માર્ગચિહ્ન મળી રહે છે. મતિજ્ઞાન દ્વારા જીવનનું આચરણ શુદ્ધ બનતું જાય તો આત્મા જ્ઞાનનો અધિકારી બને, ધર્મધ્યાનના માર્ગે વળી શકે. મતિશ્રત પરોક્ષજ્ઞાન છે. છતાં તેની સાધના જાણવી જરૂરી છે. મન અને ઈદ્રિયોની સહાયથી થતું મતિજ્ઞાન આત્માર્થે ન સમજાય તો ભોગનાં ૫૮ સ્વરૂપ અવલોકન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy