SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનના પ્રકાર : આ કર્મ પ્રકૃતિના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં પ્રથમ જ્ઞાનાવરણ. જ્ઞાનના પાંચ અને અજ્ઞાનના ત્રણ ભેદ છે. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન હોવાથી પ્રથમ જ્ઞાનના આવરણને બતાવ્યું છે. જ્ઞાનના આવરણને સરળતાથી દૂર કરી શકાય છે. મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવજ્ઞાનના ૨, કેવળજ્ઞાનના ૧, ભેદ છે. જ્ઞાનના મુખ્ય પ્રકારો : (૧) ઈદ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય છે તે જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે.. (૨) શાસ્ત્રોના વાંચનથી, શ્રવણથી અર્થશાન બોધ થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન દ્વારા શબ્દ તથા અર્થની પર્યાયલોચના જેમાં હોય તે શ્રુતજ્ઞાન છે. જેમ કે ઘડો જોયો તે મતિજ્ઞાન છે તેનો શબ્દ કાને પડતાં ઘડાની આકૃતિ, તેની પ્રક્રિયા તેના બનાવનાર વગેરેનો બોધ થાય તે શ્રુતજ્ઞાન. (૩) ઈદ્રિય તથા મનની સહાયતા વગર મર્યાદાથી પણ દૂરદર્શી રૂપી પદાર્થોનું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. (૪) ઈદ્રિયો અને મનની સહાયતા વગર મર્યાદાથી અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના ભાવો જણાય તે મન:પર્યવજ્ઞાન છે. (૫) સમગ્ર વિશ્વનું ત્રિકાળનું અને સર્વપદાર્થની સર્વ અવસ્થાઓનું એક સાથે જ્ઞાન થવું તે કેવળજ્ઞાન છે. (૬) મતિ અજ્ઞાન (૭) કુશ્રુત (૮) વિર્ભાગજ્ઞાન મતિ અને શ્રુતજ્ઞાન નિશ્ચયથી પરોક્ષજ્ઞાન છે. વ્યવહારથી તે પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિ, મન:પર્યવ દેશ પ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે મતિ શ્રુતમાં ઈદ્રિયોની અપેક્ષાએ પરોક્ષ છે. અવધિ, મન:પર્યવમાં દેશે અપેક્ષા છે અને કેવળ જ્ઞાનમાં મન અને ઈદ્રિયોની અપેક્ષા નથી. લૌકિક દૃષ્ટિએ મતિજ્ઞાનની વ્યાખ્યામાં ફરક છે. મતિ એટલે બુદ્ધિ જ માત્ર સમજાય છે, મન અને ઈદ્રિયો દ્વારા જયાં જયાં આત્મ પ્રદેશોનો સ્વરૂપ અવલોકન પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy