SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સમયનાં પરિબળો બદલાયાં, શિથિલતા અને નિર્બળતા વધી. વળી સ્ત્રી આ રીતે માલિકીની ચીજ એટલે જડ પદાર્થની જેમ જ ગણાતી. મહાવીર પ્રભુએ બ્રહ્મચર્ય વ્રત અલગ કરીને પાંચ મહાવ્રતનું સ્થાપન કર્યું. પ્રતિજ્ઞા કે વ્રત તે બંધન કે દમન નથી, તે તો આત્મસ્વરૂપ પામવાના સ્વતંત્ર કારણ છે. વ્યવહાર અને નિશ્ચય બન્નેમાં સમજ કેળવવી જોઈએ. કેવળ એક નયથી જોવાથી એકાંતે નિર્ણય થશે. નિશ્ચયથી સાધના મોક્ષમાર્ગની હોય પણ સંયમ માટે વ્રતાદિની આવશ્યકતા છે. જરૂર પડશે ત્યારે ગ્રંથો તપાસી લઈશું તેવો પ્રમાદ કરી જ્ઞાન આરાધન ન કરવું તે પ્રમાદ છે. મૂળ મૌલિક ગ્રંથો છે તે કેવળ બુદ્ધિના વિષયો નથી. તેનાં ભાષાંતરો કે ટીકા દરેક પોતાની મતિ પ્રમાણે કરે તો તેની મૌલિકતા નહિ રહે. અને જ્ઞાનને બદલે જ્ઞાનાભાસ થશે. મતિ-શ્રુતજ્ઞાનની શુદ્ધતા હોય તો શાસ્ત્રાભાસમાં શુદ્ધતા રહે બુદ્ધિમાં અહમ્ આદિ વિકાર હશે તો અતિશ્રુત અજ્ઞાનભાવે પરિણમે. માટે પ્રથમ વિવેકપૂર્વક જ્ઞાનની આરાધના કરવી. ૫૬ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy