SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે સમયે ક્રિયા થતી હોય છે. જો જ્ઞાનમય ઉપયોગ ન હોય તો આવરણો જ થતાં રહે છે. જ્ઞાનમય ઉપયોગથી ધારણા રહે છે અને તેથી ઈદ્રિયો વિષયોને ગ્રહણ કરી લે ત્યારે જીવ જ્ઞાતા રહી શકે છે. ધર્મની આરાધના અરિહંતની સાકારરૂપે અને સિદ્ધની નિરાકારરૂપે થઈ શકે. તેના સ્વરૂપના જ્ઞાનનું આરાધન કરવાથી વિતરાગ સિવાય બીજા દેવના આરાધનનું લક્ષ થતું નથી. અન્ય દેવના આરાધનમાં ઈશ્વરને નામે સંસારની લીલા, ગૃહસ્થાશ્રમ આદિ સ્ત્રી પરિવારમાં ફસાવવાનું થાય છે. અને એમ જીવ ભ્રમણામાં પડે છે. જ્ઞાનની ઊણપને કારણે ઈશ્વરને સત્વરૂપે ન માનતાં જગતકર્તા માની જીવો ઠગાય છે. અને પોતાના સંસ્કારયોગે મળેલા વિતરાગધર્મને વિસરી જાય છે. એમ મળેલા માર્ગથી દૂર નીકળી જવું તે જ્ઞાનાંતરાય છે. અનંત ભવની આવી ભુલભુલામણીથી જીવ સદ્ગરના યોગે વિવેકને પામે તો મતિ અને શ્રુતજ્ઞાન શુદ્ધ થાય, અને પરિણામે સમકિત પામે. જ્ઞાનસ્વરૂપને યથાર્થ જાણે પછી બધી જ ક્રિયામાંથી તે જ્ઞાનને જ ગ્રહણ કરશે. સંસારમાં પ્રમાદવશ એક પગથિયું ચૂકી જતાં મૃત્યુ જેવાં સંકટ આવે છે. તો આ માર્ગે મૂળધર્મનું પગથિયું ચૂકી જતાં ભવભ્રમણ મળે છે. એકવાર કુમતિ ઉપજી પછી પાછા વળવામાં ઘણી શક્તિ અને સમય વેડફાય છે. જ્ઞાનમાર્ગમાં સૂક્ષ્મ વિચારણા જોઈએ. પરંતુ જો એકવાર વિષયાંતર, ધર્માતર કે જ્ઞાનાંતરાય થાય તો ત્યાર પછી અશુભના ઉદય કાળે પાછા વળવું મુશ્કેલ થઈ પડે છે. મહાવીર પ્રભુના શાસનકાળ પછી એક હજારવર્ષ ઉપરાંત સમય સુધી શાસ્ત્ર લખાયાં નહિ તે કાળે ગણધરો અને શ્રુત કેવળી, કંઠસ્થ રાખતા આ કાળે આચાર્યો, આદિની દેશનાથી અને જ્ઞાનથી શાસન ટકયું. તે પછી એવા મહાત્માઓનો સમુદાય પણ અલ્પ થયો. સ્મૃતિ ઘટવા માંડી, પછી શાસ્ત્ર રચના થઈ તેમાં વાદવિવાદ, મતમતાંતર અને પંડિતાઈ વધવા માંડયા. સંપ્રદાયો વધ્યા અને તે પ્રમાણે ધર્મની અલગ અલગ પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી. મહાવીરસ્વામીના કાળ પહેલાં અહિંસા, સત્ય, અદત્ત અને અપરિગ્રહ તેમ ચાર વ્રત હતાં. અપરિગ્રહમાં સ્ત્રી આદિ પણ વજર્ય થઈ જતા. સ્વરૂપ અવલોકન પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy