SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરપ્રભુને ત્રણ કલ્યાણક થયા પછી પણ ઉપસર્ગો પરિષહો સહન કરવા પડયા. આમ કર્મ સ્વતંત્ર તત્ત્વ છે, તે સ્વયં પરિણમે છે. કોઈપણ કર્મનો ઉદય બે ઘડી રહે છે પછી પરિવર્તન પામે છે, પણ વર્તમાનમાં જીવ તેમાં રસ, વેગ વગેરેને નાંખીને બંધન બળવાન બનાવે છે. પ્રમાદવશ કે ઓઘદશાવશ કર્મ પ્રકૃતિની સમજ રહેતી નથી. ચેતના આત્માનો ગુણ છે, ઉપયોગ એ ગુણનો પર્યાય છે, તેથી નિમિત્તાધીન ઉપયોગ શુદ્ધ-અશુદ્ધ થયા કરે છે. બંધનકાળ સમયે ઉપયોગ પર્યાયરૂપે છે. અગિયારમા ગુણસ્થાનક પછી બારમે કે આગળની દશાએ પહોંચેલા જીવનો ઉપયોગ શુદ્ધ રહે છે. પ્રમાદ દશામાં સમકિત સત્તામાં જ રહે છે, અને ત્યાં સુધી કર્મનો કોઈ ઉકેલ આવતો નથી. જૂના કર્મો ઉદયમાં આવી નવા ને નોતરે છે. જ્ઞાન અને ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ અને સમતાભાવ જોઈએ. ઉપયોગનો અંતરાય કષાય છે, તેને નષ્ટ કરવાથી જ્ઞાનાંતરાય આદિ દૂર થતાં આત્મગુણ પ્રગટે છે. પરંતુ સંસારવાસનાને કારણે જીવ લાભાંતરાય વગેરેથી ભમે છે. આ અંતરાયો દૂર કરવા જીવે મરણાંત કષ્ટ વેઠવાં પડે છે. સંસારમાં જીવ કષ્ટ ભોગવે છે છતાં પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જ સુખ દુઃખાદિ મળે છે. વિવેકથી ધર્મ પ્રાપ્ત થાય છે. તીર્થંકર, ગણધરાદિ મહાન જીવોને તેમ કરવું પડયું તો આ કાળે આપણે પામર પ્રાણીઓ પ્રમાદ કરીએ તો શું દશા થશે ? ઈંદ્રિય વિષયોમાં નીરસતા હશે તો સત્તામાં રહેલા કર્મના ઉદયકાળે કર્મનો ઉકેલ થશે, કર્મ ઉદયમાં આવે અને ભોગવાઈ જાય તેવી અકામ નિર્જરા તો એકેન્દ્રિયાદિ જીવો પણ કરે છે. મનુષ્યનું કર્તવ્ય તો સકામ નિર્જરાનું છે, કે કર્મના ઉદયકાળે નવો કર્મબંધ ન પડે. પૂર્વ કર્મની પ્રકૃતિઓ ઉદયમાં આવતાં પહેલાં પોતાના જ્ઞાન ઉપયોગ દ્વારા પરિવર્તન કરી લે કે ઉપશમ કરી લે. પ્રમાદવશ જીવ અંતરાયને કારણે પ્રથમથી જ મતિ અજ્ઞાનને સેવે છે. અને તેવા તિ અજ્ઞાનના ઉપયોગ વડે ઈંદ્રિયાદિના વિષયોમાં સુખ માણે છે. અને તેથી આત્મજ્ઞાનની વિસ્મૃતિ થાય છે. કોઈપણ ઈંદ્રિય વિષયને ગ્રહણ કરે ત્યારે ઉપયોગ તો રાખવો પડે છે. આ ગ્રહણ ક્રિયા આંખની કે કાનની કોઈપણ વિષયની હોય તે ખૂબ શીઘ્રતાથી થાય છે, ૫૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy