SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ વિષે ચિંતન કરવું. જીવનો બાહ્ય ઉપયોગ જગતનાં દ્રવ્યો તરફ જાય છે ત્યારે આશ્રવ સ્વયં જીવને આવરણ કરે છે. મનથી ઊઠતા વિકલ્પો આશ્રવને નોતરે છે. આ કર્મની પ્રકૃતિ એવી સૂક્ષ્મ છે કે તે શેષ રહે તો તીર્થકર ભગવંતોને છેલ્લા સમયે સમુઘાત કરીને નાશ કરવી પડે છે. વરાહ નામનું પશુ વિફરે ત્યારે સિંહ કરતાં પણ વિકરાળરૂપ ધારણ કરે છે. તે રીતે અજ્ઞાન દશામાં આવેગથી બાંધેલાં કર્મ ઉદયમાં આવે છે ત્યારે વિકરાળરૂપ ધારણ કરે છે. તે કર્મો ભોગવ્યા વગર કોઈનો છૂટકો થતો નથી. માટે ધીરજ અને સમભાવ જેવા ગુણો કેળવવા જોઈએ. આત્મા સહજપણે જ્ઞાનાદિ ગુણમય છે. ઉપયોગની શુદ્ધતાનું મુખ્ય લક્ષ કરવાનું છે. વ્યામોહને કારણે બંધ અને તેનાં ફળ ઉપાર્જન થાય છે. કાળે કરીને તે પરિપકવ થાય ત્યારે કર્મને કોઈની શરમ અડતી નથી. કર્મ એ પર્યાય હોવાથી પરિવર્તિત છે. આત્મા નિત્ય છે. તે કર્મને જાણે છે પણ વિભાવદશા તેને કર્મ પ્રમાણે ફેરવે છે. જીવ ભખ્રિત થઈ ભટકે છે. આત્મા મોક્ષસ્વરૂપ છે. પરંતુ ભ્રમ ન ભાંગે ત્યાં સુધી સંસાર છે. ભ્રમ મટી જાગૃત થઈએ તો કર્મબંધન શિથિલ થાય છે. અનુક્રમે ક્ષય પામે છે. પુણ્ય પુદ્ગલ પરમાણુમાં શુભતત્વ હોવાથી તે હલકા છે. અને પાપજન્ય પુદ્ગલમાં અશુભ તત્ત્વ હોવાથી ભારે છે. આથી શુભ યોગમાં જીવને અનુકૂળતા લાગે છે, અને અશુભયોગમાં જીવ દુઃખથી અકળાય છે. પુષ્ય અને પાપ વિરોધી તત્ત્વ છે. પુણ્યબળે શુભયોગ મળ્યા પછી પૂર્વના અશુભભાવે પાપપ્રકૃતિની ઉગ્રતા આવે તો તે કષાય છે. છતાં પુણ્યબળ સાથે હોવાથી જાગૃતિ થઈ તે જ ભવમાં કર્મને ભોગવી લે છે. દઢપ્રહારી જેવા હિંસક જીવે પણ તે જ ભવમાં સહન કરીને ગાઢ કર્મબંધને નષ્ટ કર્યા હતા. જીવ સમયે સમયે સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે છે. એક કર્મની પ્રકૃત્તિનું બંધન સહેલું છે. પણ આઠ કે સાત પ્રકૃતિનો એકસાથે બંધ થાય છે ત્યારે તે ગાઢ બને છે. છતાં ઉદય સમયે જાગૃત હોય તો કર્મ પ્રકૃતિને મંદ કરી શકે છે. કોઈપણ રીતે કષાયનું શમન કરવું. ઉગ્ર તપસ્વી પણ શ્રાપ આપીને તપની શક્તિનો અસત્ ઉપયોગ કરી ભવભ્રમણ વધારે છે. માટે સૌ પ્રથમ જ્ઞાની ગુરુના યોગે સમકિતને પ્રાપ્ત કરવું. કે જેથી અનંતાનુબંધી રસબંધ ન પડે. અને કર્મના ઉદય કાળે તે કર્મો સમભાવે ૫૨ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy