SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કોઈ લઈ શકે તેમ નથી. સમકિતી કર્મથી મુક્ત થતો જાય છે. ક્ષાયિક સમકિતી કર્મના મૂળને બાળીને ખાખ કરી દે છે. મિથ્યાત્વી માનવ જન્મ છતાં પશુવત્ વૃત્તિને આધીન જીવે છે. વૃત્તિઓનું ઘર મન છે તેની પ્રથમ સુધારણા કરવી. જીવ સંસારના પદાર્થો મેળવવામાં દુઃખો સહન કરશે. તેને સાચવવા પરિશ્રમ કરશે. જેમાં સુખ મળવાની ખાત્રી નથી તેમ છતાં તેમાં સુખ માનીને જીવે છે. બાળપણથી જ આપણને સાચા સુખની કેળવણી મળી નથી. યુવાવસ્થામાં જવલ્લે જ કોઈ વિરલ જીવની રુચિ આત્મભાવ તરફ વળે છે. વૃધ્ધત્વ આવતાં પુરુષાર્થ થતો નથી, એમ આયુષ્ય પૂરું થાય છે. જ્ઞાનનો વિચાર જ્ઞાનનાં સાધનોથી જ થાય. તેમાંથી સમક્તિ ગુણ પ્રગટ થાય. જ્ઞાનનું સાચું સાધન જ્ઞાનીનો સંપર્ક છે. મહાવીર પ્રભુ માતાપિતા અને પછી ભાઈના આગ્રહથી કાર્યકારણભાવને જાણીને ગૃહવાસમાં રહ્યા, પરંતુ તે પહેલાં જ સંસારભાવ તો વિરામ પામ્યો હતો તેથી ગૃહવાસ છતાં મુનિ જેવા હતા. જગતના કોઈ કર્તવ્યમાં તેમને આગ્રહ કે રસ ન હતો. પૂર્વ પ્રારબ્ધ ખપાવી દેવાની એ સાધના હતી. જન્મસિદ્ધ સંયમ સહજ હતો. સાંસારિક સુખભોગમાં શક્તિની ક્ષીણતા જ થશે. આત્માને આવરણ કરતાં દોષો દૂર કરવા. આત્મગુણને પ્રગટ થવા દેવા. અનંતકાળ સંસાર સુખ અર્થે જ ગયો છે. પ્રતિકૂળતાને કારણે ધર્મની શોધ માટે નીકળે તો કૃત્રિમ ધર્મ હાથ આવે છે. મૂળ સંસ્કાર આત્માર્થનો હોય તો સર્વ ક્રિયા આત્માર્થે પરિણમે. આત્મા અને દેહની ભિન્નતા સમજ્યા વગર કે શ્રદ્ધા વગર છૂટકો નથી. દેહથી દેહનું, ક્રિયાથી ક્રિયાનું જુદાપણું કેળવે તો ભેદ સમજાય અને મૃત્યુનો ભય મંદ પડે. જેમ જીર્ણ વસ્ત્ર ત્યજીને જીવ નવું વસ્ત્ર ધારણ કરે છે તેમ આયુષ્ય પૂર્ણ થતાં જીવ આ દેહને છોડીને નવો દેહ ધારણ કરે છે. આવી વાત સમજાય તો મૃત્યુ કોનું થાય છે તેનું ભાન થાય. જે જે સદ્ભાવ છે તેને અંતરમાં ઉતરવા દો, જો તે ભાવ બહારની ક્રિયામાં પડશે તો પુણ્યમય એવા પૌલિક સુખમાં ભૂલા પડી જવાશે. સદ્ભાવને ઉત્કૃષ્ટ થવા ઉપવાસાદિ વ્રત સાથે પૌષધવ્રતનું નિરૂપણ કર્યું છે. એકાંત સ્થળે રહીને નવતત્ત્વાદિનો સ્વાધ્યાય કરવો અને જીવ તથા અજીવ સ્વરૂપ અવલોકન ૫૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy