SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જે કર્મ જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગમાં અને પુરુષાર્થમાં અંતરાય કરે છે તથા આત્મશક્તિને પ્રગટવા દેતું નથી તે અંતરાય ર્મ છે. કેવળી ભગવંતને રાગાદિ દશાનો આત્યંતિક ક્ષય હોવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય આ ચાર ઘનધાતી કર્મ પ્રકૃતિ નષ્ટ થઈ હોય છે. પરંતુ દેહાદિ યોગને કારણે નામ, ગોત્ર, વેદનીય, આયુ, ચાર અઘાતી પ્રકૃતિનો ઉદય હોય છે પણ તે બંધનરૂપ ન હોવાથી આયુષ્ય પૂર્ણ થતાં સહજપણે બાકીની ચાર પ્રકૃત્તિ નાશ પામે છે. પોતાના સ્વપુરુષાર્થથીજ અસત્ ભાવે જીવ આઠે પ્રકૃત્તિના આવરણને ગ્રહણ કરે છે. અને સ્વભાવનો આશ્રય છોડી દે છે. આ કર્મ જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ એમ પાંચ કારણોથી ગ્રહણ કરે છે. આત્મા સ્વભાવે જ્ઞાનાદિ ગુણથી વ્યાપ્ત છે. જ્ઞાન જ તેનું મૂળ લક્ષણ છે. તે ગુણે કરીને તેના ગુણ, ક્રિયા વગેરે જણાય છે. તે જણાતાં પહેલાં જે ભાન થાય છે તે દર્શન છે. ગુણ તે ગુણીની સાથે જ રહે છે. અને પર્યાય પરિવર્તિત છે. જ્ઞાનગુણ વગર જીવ પદાર્થને જાણી શકતો નથી. પરંતુ જડ પદાર્થને પોતાના માને છે તે અજ્ઞાન છે. તે અજ્ઞાન બંધન કરે છે. જે અજ્ઞાન બંધનમાં કામ લાગે છે તે ધર્મમાં કામ ન લાગે. ધર્મ તે આત્માનો ગુણ છે. ગુણ ગુણરૂપે રહે છે. કષાયની ઉત્તેજનાને જીવ શમાવે, મુક્તિ માટે કઈ ક્રિયા કામ આવે તેનો વિવેક કરે. દેહ મળ્યો છે પણ તે મુક્તિધર્મ માટે જ છે તેવો નિર્ણય થાય તો જીવનો ઉપયોગ કે ક્રિયા તેની ઉપાસના તરફ જ વળે. તેની આહારાદિની સર્વ ક્રિયા એક જ લક્ષ્યથી હોય તો પૂર્વ પ્રારબ્ધ નષ્ટ થતું જશે અને નવું પ્રારબ્ધ રસબંધ વગરનું રહેશે. પણ ઉપયોગ ચૂકયો તો પરલક્ષે શુભાશુભ બંધ થાય. દેહના સુખનું લક્ષ્ય રાખે, રસનાને પોષવા આહાર લેવાય ત્યાં ઉપયોગ થતાં અજ્ઞાનવશ કર્મબંધ પડે. તે જ પ્રમાણે વ્યવહારની બધી જ ક્રિયા માટે જ સમજવું. દર્શનગુણ ઉપયોગથી કર્મબંધ મંદ પડે છે. પણ જ્ઞાનના ઉપયોગથી કર્મના બંધનને નષ્ટ કરી શકાય છે. દેહાદિ દરેક ક્રિયામાં ઉપયોગ વગર વ્યવહાર થતો નથી. એ ઉપયોગને આત્મલક્ષે લેવાથી પ્રારબ્ધકર્મ પુરું થાય છે. દેહાદિ દુ:ખમાં કોઈ ભાગ પડાવી શકે તેમ નથી. આંતરવેદના ૫૦ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy