SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સહજ સ્વરૂપતા અઘરી થઈ ગઈ છે. જીવો ધર્મથી વિમુખ જઈ રહ્યા છે. શાસ્ત્રોની જાણે હાટ મંડાઈ છે. ત્યારે કયાંથી શું મેળવવું ? કેમ લેવું? તેનો વિવેક આત્માએ કરવાનો છે. નહિ તો વિષમ સંયોગથી કર્મસંયોગ જ થશે. - સમકિતી જીવની સમતા : જીવને એક સરખી જ શાતા કે અશાતા વેદનીય વર્તે તેવું નથી હોતું. અશાતા વેદનીયના ઉદયમાં સમતાભાવે રહે તો અશાતા હોય છતાં શાતા વેદે છે. પરંતુ શાતાવેદનીયના ઉદયમાં પણ સુખ માટે ફાફાં મારીને દુઃખ વહોરતો હોય તે જીવ અશાતાના ઉદયમાં શું કરે ? સમકતી જીવ બંને સમયે સમભાવે સ્થિર રહે છે. ચારિત્રની ઊણપની અસ્થિરતા આવે છે. દર્શનની જેટલી શુદ્ધતા તેટલી જ્ઞાનની શુદ્ધતા. શાસ્ત્ર સ્વાધ્યાયનું અવલંબન તે શુદ્ધિમાં સહાયક છે. જીવમાં સમકિતગુણ પ્રગટયો ન હોય તો જડતા જલ્દી ઘર કરી જાય છે. સમકિતી પાપાનુંબંધી પુણ્ય ઉપાર્જન નહિ કરે. પૂર્વ પ્રારબ્ધયોગે પુણ્ય ઉદયમાં આવે તોય તેનો ક્ષય કરી શકે છે. કારણ કે તેનો સહેજે ત્યાગ કરી લે છે. પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તો તેને દેવગતિમાં જવું પડે છે. ત્યાં તેત્રીસ સાગરોપમ જેવો લાંબો કાળ નીકળી જાય છે. સમકિતી તેને પણ બંધન માને છે. આસક્તિપૂર્વકનાં અનુષ્ઠાનોથી બંધાયેલા પુણ્યને કારણે સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. જેમકે અનીતિથી મેળવેલા ધનથી દાન ઈત્યાદિ કરે. કપટથી અનુષ્ઠાન કરે તે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. એટલે પાછું પુણ્ય ભોગવીને પાપ-દુઃખ તો ઊભું રહે છે. અને અનીતિ અને કપટ આધારિત બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે. ત્યારે પુનઃ તેવી જ વૃત્તિઓ પેદા થાય છે. સમકિતગુણ વિકસ્યા પછી પણ પુરુષાર્થ મંદ પડે તો જીવ સમક્તિને વમી દે છે. અને જ્ઞાનીના યોગ વગર ચઢ-ઉતર ચાલ્યા કરે છે એટલે ક્ષાયિક સમ્યકત્વ અર્થાત તે તે કર્મની પ્રકૃતિનો આત્મપ્રદેશો પરથી ક્ષય થવો તે ક્ષાયિક સમ્યક્ત છે. તે ન પ્રગટે ત્યાં સુધી સતત ઉપયોગ રાખવો પડે. ક્ષાયિક ભાવ વડે આત્મા સ્વરૂપસ્થ થાય છે. તેવા મહાન જીવો ગમે તેટલા ચક્રવર્તીના સુખનો પણ ક્ષણ માત્રમાં ત્યાગ કરી શકે છે. ભરત ચક્રવર્તીને રાજપાટ ત્યજી દેતાં ક્ષણમાત્રનો વિલંબ ન થયો. સમકિતને સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy