SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ઉપયોગથી વર્તે તો દોષો ઉપશમ પામે. ક્રિયાને જોવાને બદલે કર્મને જોતાં શીખો. જગત વ્યવસ્થા તેની કાળમર્યાદા પ્રમાણે ચાલે છે. તેના વિવાદમાં ન પડવું પણ જ્ઞાનીના કથન પર વિશ્વાસ રાખવો. દરેક પદાર્થો પોતાના ગુણધર્મને આધીન છે. ઉપયોગ રાખવાથી કર્મને મંદ કરી શકાય છે. રોગીષ્ટ શરીરને કેફી પદાર્થ આપી રોગને દાબી શકાય છે. પણ ઉપયોગ રહિતપણે જીવવાથી જ્ઞાન દબાઈ ગયું તો કર્મો બળવત્તર બનશે. અને સમયે સમયે અઘાતી-ઘાતી આઠે કર્મોનું બંધન થશે. પૂર્વ પ્રારબ્ધવશ મળેલી પ્રકૃત્તિને પરિવર્તિત કરી શકાય તો સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય તે માટે જીવે વિચારશીલ બનવું. દરેક ઈદ્રિયોને પોતાની મર્યાદા છે. રસનો સ્વાદ જીભના અગ્રભાગે છે. મોઢામાંથી ઝરતા રસો તેને પ્રેરે છે. ગળે ઉતરી ગયા પછી સ્વાદની કંઈ અસર જણાતી નથી. છતાં મનમાં સ્વાદની અસર રહી જાય છે તે રસોને ઉત્તેજિત કરે છે અને ફરીને તે પદાર્થ મેળવવાની વાસના જાગે છે. એક વસ્ત્ર પરિધાન જેવી ક્રિયા પણ મન પર કેવી અસર ઉપજાવે છે ! પોલીસ સાદા વેશમાં હોય ત્યારે અને ગણવેશમાં હોય ત્યારે કેવી અસર ઉપજાવે છે ? આપણે પોતે પણ ઘરમાં રહીએ ત્યારે અને બહાર નીકળીએ ત્યારે વસ્ત્ર પરિધાનમાં કેવું લક્ષ્ય રાખીએ છીએ. જેવાં વસ્ત્રો તેવા વિચારોમાં પરિવર્તન આવે છે. ગૃહસ્થ કે મુમુક્ષુ સંયમી હોય તોપણ સાધુવેશની મહત્તા બતાવી છે. છતાં જો સાધુમાં આચાર ન હોય તો વેશનો કંઈ ઉપયોગ નથી. શાસ્ત્રનું માહત્મ્ય : જૈનદર્શનમાં શાસ્ત્રના સિદ્ધાંતો સુસ્પષ્ટ છે. માર્ગ અઘરો છે. જો તેમાં બતાવેલા માર્ગ માટે જ્ઞાનીના આશ્રયે પોતાના જીવનનો ક્રમ ગોઠવે તો આનંદ પ્રગટે છે. પણ જીવને કર્મના મારથી કે દુઃખ સમયે સુધરવાની ટેવ પડી છે તેથી સીધો માર્ગ ગ્રહણ કરવાને બદલે અવળો દોરવાઈ ગયો છે. પોતાની માન્યતા પ્રમાણે કર્મને દૂર હડસેલવા માંગે તો પણ કર્મ ફળ આપ્યા વગર દૂર જતું નથી. માટે કર્મના ઉદયકાળ પહેલાં જ સમજ કેળવવી અને જગતનાં અન્ય સાધનોની સોબત ત્યજવી, જગતના પદાર્થોનો ઉપયોગ દવાની જેમ કરવો. પણ ઉદયને આધીન ન થવું. બાહ્ય સાધનના યોગથી અંતરને શોધવું. આ કાળમાં વિષમ સંયોગો ૪૬ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy